કેન્દ્નની મોદી સરકાર દ્વારા પસાર કરાયેલા 3 કૃષિ કાયદાને લઈને ખેડૂતોના આંદોલનનો 20મો દિવસ છે. અત્યાર સુધી સરકાર અને ખેડૂતો વચ્ચે 5 વાર વાતચીત થઈ ચૂકી છે પણ કોઈ પરિણામ મળ્યું નથી. હવે ખેડૂતો તેમની 3 શરતો સાથે સરકાર સાથે વાતચીત માટે તૈયાર છે તેમ કહેવાઈ રહ્યું છે.
3 કૃષિ કાયદાને લઈને ખેડૂતોના આંદોલનનો 20મો દિવસ
સરકાર અને ખેડૂતો વચ્ચે 5 વાર વાતચીત થઈ ચૂકી છે
ખેડૂતો તેમની 3 શરતો સાથે સરકાર સાથે વાતચીત માટે તૈયાર
કેન્દ્રની મોદી સરકાર દ્વાર પસાર કરાયેલા 3 કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો 20 દિવસથી આંદોલન કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે તેઓ સરકાર સાથે વાતચીત કરવા તૈયાર છે પણ તેમની 3 શરતો છે. સોમવારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે ખેડૂતોની સાથે વાત કરવા માટે તારીખ નક્કી કરવા સરકાર તેમની સાથે સંપર્કમાં છે. ખેડૂત યૂનિયને તેમનું આંદોલન ઉગ્ર બનાવી લીધું છે અને સોમવારે ભૂખ હડતાળ પણ કરી હતી. તોમરે કહ્યું કે બેઠક ચોક્કસથી થશે. અમે ખેડૂતોના સંપર્કમાં છીએ. સરકાર કોઈ પણ સમયે વાતચીત માટે તૈયાર છે. ખેડૂતો નક્કી કરીને કહે કે આવનારી બેઠક માટે તેઓ ક્યારે તૈયાર છે.
देशभर से आये अखिल भारतीय किसान समन्वय समिति के पदाधिकारियों ने आज कृषि भवन में मुलाकात कर नए कृषि कानूनों के समर्थन में ज्ञापन दिया।#FarmersWithModipic.twitter.com/1BUvmulZLf
પ્રદર્શનકારી ખેડૂતોના 40 યૂનિયનના પ્રતિનિધિની સાથે સરકારની વાતચીતની કમાન તોમરે સંભાળી છે. તેમાં તેમની સાથે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તથા ખાદ્યમંત્રીઓ અને વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી પણ સામેલ છે. કેન્દ્ર અને ખેડૂત નેતાઓની વચ્ચે અત્યાર સુધીમાં 5 વખત વાતચીત થઈ છે પરંતુ તેનું કોઈ ખાસ પરિણામ મળ્યું નથી.
अभी सरकार की तरफ से कोई प्रस्ताव नहीं आया है। प्रस्ताव आएगा तो जगह और टाइम, प्रशासन और सरकार द्वारा बताया जाएगा। हम दिल्ली के चारों ओर बैठ गए हैं सरकार का इंतज़ार कर रहे हैं: गाजीपुर बॉर्डर से किसान नेता राकेश टिकैत pic.twitter.com/u3dB7s4NAF
થોડા કલાકો બાદ ભારતીય અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સમિતિ (AIKSCC) એ કહ્યું કે તેઓ કેટલીક શરતો સાથે ફરીથી સરકાર સાથે વાત કરવા તૈયાર છે. પંજાબના મોટા ભાગના ખેડૂતો 3 કાયદાને પૂરી રીતે નકારવાનું દબાણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ફરી વાત શરૂ કરવા માટે 3 આશ્વાસનની સરકાર તરફથી જરૂર છે.
સરકાર સાથે વાતચીત માટે આ છે ખેડૂતોની 3 શરતો
સરકાર સાથે વાતચીત માટે ખેડૂતો તૈયાર છે અને સરકાર પણ તેમની સાથે વાત કરવા ગમે તે સમયે તૈયાર છે. 3 શરતોમાં પહેલી શરત એ છે કે વાતચીત જૂના પ્રસ્તાવ પર થઈ શકશે નહીં. જેને કૃષિ સંઘ પહેલેથી નકારી ચૂક્યું છે. બીજી શરત એ છે કે સરકારે એક નવો એજન્ડા તૈયાર કરવો અને ત્રીજી શરત એ કે વાતચીત કૃષિ કાયદાને પરત લેવા માટે થવી જોઈએ.