કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન રોકાવું નામ જ નથી લઈ રહ્યું. ગાજીપુર બોર્ડર પર હવે વિપક્ષે મોર્ચાબંધી શરુ કરી દીધી છે. ગુરુવારે 8 વિપક્ષી દળાના નેતાઓ ખેડૂતોને મળવા માટે ગાજીપુર બોર્ડર પર પહોંચ્યા.
અહીં શું થઈ રહ્યું છે તે જાણવા પહોંચ્યા છે
પોલીસ વિપક્ષી દળોના નેતાઓને ત્યાંથી બીજી જગ્યાએ લઈ ગઈ
પોલીસે નેતાઓને ખેડૂતને મળવા દીધા નહોંતા
પોલીસ વિપક્ષી દળોના નેતાઓને ત્યાંથી બીજી જગ્યાએ લઈ ગઈ
અહીં પ્રદર્શન કરી રહેલા ખેડૂતને મળવા પહોંચેલા વિપક્ષને દિલ્હી પોલીસે રોક્યા. પોલીસે નેતાઓને ખેડૂતને મળવા દીધા નહોંતા. આ બાદ વિપક્ષી દળોના નેતાઓને પાછા ફરવું પડ્યું. પોલીસ વિપક્ષી દળોના નેતાઓને ત્યાંથી બીજી જગ્યાએ લઈ ગઈ. વિપક્ષી દળોના નેતાઓ ટીએમસી નેતા સૌગત રોય, શિરોમણી અકાળી દળના હરસિમરત કૌર બાદલ, એનસીપીના સાંસદ સુપ્રિયા સુલે, ડીએમકેના એમ કનિમોઈ પણ સામેલ છે.
Delhi: Opposition leaders who have reached Ghazipur border to meet the protesting farmers have been stopped by Police. pic.twitter.com/SDsZNJNPvF
અકાળી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે કહ્યું કે અમે અહીં એટલા માટ પહોંચ્યા છીએ જેથી અમે આ મુદ્દા પર સંસદમાં ચર્ચા કરી શકીએ. અકાળી દળના સાંસદે કહ્યું કે સ્પીકર અમને આ મુદ્દાને ઉઠાવવા નથી દઈ રહ્યા. જ્યારે કે તમામ પક્ષ આ અંગે વિવરણ આપશે કે શું થઈ રહ્યું છે.
Delhi: Nails that were fixed near barricades at Ghazipur border are being removed. pic.twitter.com/63Xfr6Xwbz
વિદેશી સાંસદોને કાશ્મીર લઈ જવાય છે અને પોતાનાને રોકવામાં આવે છે
વિપક્ષી દળોનું કહેવું છે કે તે આ મુદ્દા પર લોકસભા સ્પીકરને રિપોર્ટ આપશે. વિપક્ષી દળોના નેતાઓને બીજી જગ્યાએ લઈ જવાયા છે. એસપી પ્રવક્તા રાજીવ રાયે કહ્યું છે કે આ દુર્ભાગ્ય છે કે વિદેશી સાંસદોને કાશ્મીર લઈ જવાય છે પરંતુ દેશના સાંસદોને ખેડૂતોને મળવા નથી દેવાતા.
ગાજીપુર બોર્ડર પર ખિલ્લીઓ હટાવવાનું કામ શરુ
ગાજીપુર બોર્ડર પર લાગેલી ખિલ્લીઓ ગુરુવારે સવારથી જ હટાવવાનું કામ શરુ કરી દેવાયું છે. આ વિશે પૂછતા જણાવવામાં આવ્યું કે ખીલ્લીઓ વળી ગઈ છે અને જૂની થઈ ગઈ છે એટલા માટે હટાવવામાં આવી રહી છે. એ બાદ નવી ખિલ્લીઓ લગાવવા અંગેના સવાલ પર હાલ કોઈ નિર્ણય નથી લેવાયો તેમ જણાવવામાં આવ્યું હતુ.