કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન સતત ચાલુ છે. આજે દેશમાં સામાન્ય બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ વધારે સતર્ક થઈ ગઈ છે.
મેરઠ એક્સપ્રેસ -વે ને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો
આંદોલનને જોઈને એનએચ 9ને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો
ખેડૂત સંગઠનો તરફથી સંસદ માર્ચ સ્થગિત છતાં દિલ્હી પોલીસે કોઈ ઢીલાશ વર્તી નથી
મેરઠ એક્સપ્રેસ -વે ને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો
ખેડૂત નેતા રાકેશ ટિકૈતના રડ્યા બાદ સિંધુ ટિકરી અને ગાજીપુર બોર્ડર પર સતત ખેડૂતોના પહોંચવાનો સિલસિલો ચાલૂ છે. સમાચાર છે કે ખેડૂત બજેટ દરમિયાન સાસંદનો ઘેરાવ કરી શકે છે. તેવામાં પહેલાથી જ દિલ્હીની બોર્ડર પર સુરક્ષા વધારે ચુસ્ત કરી દેવાઈ છે. ખેડૂતો સંસદની તરફ કૂચ ન કરી શકે તે માટે મલ્ટીલેયર બેરિકેટિંગ પણ કરવામાં આવ્યા છે. સાથે મેરઠ એક્સપ્રેસ -વે ને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે.
આંદોલનને જોઈને એનએચ 9ને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો
ખેડૂતોના વલણને જોતા ગાજીપુરથી અક્ષરધામ થતા પ્રગતિ મેદાન તરપ જનારા રસ્તા પર પત્થરથી બેરિકેટિંગ કરવામાં આવી છે. ત્યારે સરાયકાળે કા અને પ્રગતિ મેદાનથી અક્ષરધામ અને ગાજીપુર જનારા માર્ગ પર બસો ઉભી કરી બેરિકેટિંગ કરવામાં આવી છે. ખેડૂત આંદોલનને જોઈને એનએચ 9ને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. આ પહેલા રવિવારે મોડી રાતે ગાજીપુર બોર્ડરને પૂરી રીતે સીલ કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરીએ ખેડૂતોએ એલાન કર્યુ હતુ તે જો સરકાર તેમની વાત નથી માનતી તો 1 ફેબ્રુઆરીએ સંસદ કુચ કરશે. પરંતુ 26 જાન્યુઆરીએ લાલ કિલ્લામાં થયેલી હિંસા બાદ આને સ્થગિત કરી દેવામાં આવી હતી.
ખેડૂત સંગઠનો તરફથી સંસદ માર્ચ સ્થગિત છતાં દિલ્હી પોલીસે કોઈ ઢીલાશ વર્તી નથી
ખેડૂત સંગઠનો તરફથી સંસદ માર્ચ સ્થગિત કર્યા બાદ પણ દિલ્હી પોલીસે પોતાની રીતે કોઈ ઢીલાશ વર્તી નથી. ઉલ્લેથનીય છે કે ખેડૂત આંદોલનને જોતા હરિયાણા સરકારે પહેલા જ રોહતક, પાનીપત, કરનાલ, કુરુક્ષેત્ર, હિસાર, જિંદ, ભિવાણી, અંબાલા, કૈથલ, ઈજ્જર, ફતેહાબાદ, ચરખી, દાદરી, સોનીપત અને સિરસામાં ઈન્ટરનેટ અને ડોંગલ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.