કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે આંદોલનને આજે 100 દિવસ પૂર્ણ થયા છે.
કેન્દ્ર સરકાર સામે ચાલી રહ્યું છે આંદોલન
100 દિવસ પૂર્ણ થયા
ટીકૈતે કહ્યું અમારી તૈયારી લાંબી છે
100 દિવસ પૂર્ણ
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કૃષિ કાયદા સામે મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી અને આસપાસની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે ત્યારે આજે આ આંદોલનનો 100મો દિવસ છે. 100 દિવસ પૂરા થઈ રહ્યા છે ત્યારે હાલમાં ખેડૂતો અને સરકાર બંને પક્ષ નમતું જોવા તૈયાર નથી અને દૂર-દૂર સુધી વાતચીતના કોઈ અણસાર નથી.
ટીકૈત આપી રહ્યા છે પડકાર
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈતનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર માનતી નથી ત્યારે સુધી આંદોલન ચાલતું જ રહેશે. સરકાર સાથે વાતચીતની કોઈ સંભાવના નથી દેખાઈ રહી, માટે તૈયારી લાંબી છે. ટીકૈતે કહ્યું કે સરકાર તો ક્યાંક ખોવાઈ ગઈ છે, અમે તો સંસદમાં જઈને પાક વેચીશું.
બીજા રાજ્યોમાં પહોંચી રહ્યું છે આંદોલન
નોંધનીય છે કે આંદોલનને 100 દિવસ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ 100 દિવસમાં આંદોલનમાં ઘણા બધા ફેરફાર જોવા મળ્યા, કેટલાય સ્ટારની વાતચીત પણ સરકાર અને ખેડૂતો વચ્ચે કરવામાં આવી. જોકે હવે ખેડૂતોએ આંદોલનને દેશભરમાં ફેલાઈ દેવાની કવાયત હાથ ધરી છે. ખાસ કરીને દિલ્હીની આસપાસ જે રાજ્યો આવેલા છે ત્યાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે, હવે તો રાજકીય પાર્ટીઓ અને ખેડૂતો ખૂલીને મેદાનમાં આવી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી પણ મહાપંચાયત આયોજિત કરી રહ્યા છે.
સરકાર ક્રાંતિકારી બદલાવ લાવવા માંગે છે : નરેન્દ્ર સિંહ તોમર
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ દ્વારા મહાપંચાયત કરવામાં આવી જેમાં ખેડૂતો નેતા ગુરુનામ સિંહ સામેલ થાય હતા. મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી કાંતિલાલ ભૂરિયા પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુરુનામ સિંહે કહ્યું કે નવા કૃષિ કાયદાથી વિદેશી પાક ભારતમાં આવી જશે અને અહિયાં તેમને વેચવામાં આવશે. બીજી તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરનું કહેવું છે કે સરકાર કૃષિ કાયદામાં સુધારા કરીને ખેડૂતોને આગળ લાવવા માંગે છે. સરકાર કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિકારી બદલાવ લાવવા માંગે છે. કૃષિ કાયદામાં સુધારા કરીને કૃષિ ક્ષેત્રને વધારો આપવાં આવી રહ્યો છે.