કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આંદોલનને આજે 51 દિવસ થઈ રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે ફરીથી બેઠક કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે આ પહેલા ઘણી બધી બેઠકો થઈ પણ તેમાં કોઇ જ પરિણામ સામે આવ્યું નથી.
કૃષિ કાયદાના વિરોધમાં આંદોલનને 50 દિવસ પૂરા
આજે ખેડૂતો અને સરકાર વચ્ચે ફરી બેઠક
બેઠક પહેલા ખેડૂતોએ કહ્યું સરકારથી બહુ આશા નથી રહી
Live Updates :
વાતચીતથી ઉકેલ લાવીશુંઃ ખેડૂત નેતા રાકેશ ટિકૈત
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, ખેડૂત સંગઠનોએ સરકારને કહ્યું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી કમિટી સ્વીકાર્ય નથી. ખેડૂત સંગઠન અને સરકારે નક્કી કર્યું છે કે વાતચીત ચાલુ રહેશે અને વાતચીતથી જ ઉકેલ લાવીશું. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે, લંચ બાદ MSP અને ત્રણ કૃષિ કાયદા પર ચર્ચા કરીશું.
ખેડૂતો અને સરકારમાં શું વાત બનશે?
સરકાર અને ખેડૂતો વચ્ચે ત્રણેય કાયદાઓને લઇને સંઘર્ષ હજુ યથાવત્ છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, અમે ત્રણેય કાયદાઓને પરત નહીં લઇએ, પરંતુ અમે સંશોધન કરવા માટે તૈયાર છીએ. જ્યારે બેઠકમાં ખેડૂતોએ કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે ત્રણેય કાયદાને પરત લેવા પડશે તેનાથી ઓછામાં અમે નહીં માનીએ.
બેઠકમાં કૃષિ મંત્રી તરફથી ખેડૂતોને ગણાવવામાં આવ્યું કે દેશમાં મોટા સ્તરે ખેડૂત કાયદાનું સમર્થન કરી રહ્યા છે, જ્યારે ખેડૂતોએ કહ્યું કે, તેમ છતા પણ દેશભરમાં પ્રદર્શન થઇ રહ્યું છે. કૃષિ મંત્રી સિવાય પીયૂષ ગોયલે પણ બેઠકમાં કૃષિ કાયદાઓથી જોડાયેલા ફાયદાઓ ગણાવ્યા.
જોકે, હવે ખેડૂતો તરફથી પંજાબમાં દરોડા, હરિયાણામાં ખેડૂતો પર લેવામાં આવેલા એક્શનનો મુદ્દે ઉઠાવવામાં આવ્યો. ખેડૂતોની માંગ છે કે તમામ કેસ પરત લેવામાં આવે. હજુ બેઠકમાં લંચ બાદ MSP પર ચર્ચા થવાની છે.
નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, અમે ત્રણેય કાયદાઓને પરત નહીં લઇ
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને બેઠકમાં કહ્યું કે, ખેડૂત મીડિયામાં કહે છે કે સરકાર જીદ પર અડી છે, પરંતુ અમે ખેડૂતોની વાત માની છે. ખેડૂતો એક ડગલું પણ આગળ નથી વધ્યા. બીજી તરફ બેઠકમાં પીયૂષ ગોયલે ખેડૂતોને FCIથી જોડાયેલી માહિતી આપી હતી. જોકે, ખેડૂતો સતત બેઠકમાં કાયદાઓને રદ્દ કરવાના મુદ્દા પર અડગ છે.
ખેડૂતો તરફથી સરકારની સામે પંજાબમાં થઇ રહ્યા છે દરોડા, હરિયાણામાં ખેડૂતો માટે લેવામાં આવેલા એક્શનના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો અને તમામ કેસ પરત લેવાની માંગ કરવામાં આવી. હજુ બેઠકમાં લંચ થઇ ગયું છે, આ વખતે પણ ખેડૂતોનું લંચ બહારથી જ આવ્યું છે.
કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂત બેઠકમાં કહ્યું કે સરકાર જીદ પર અડી છે તેમ છતાં અમે ખેડૂતોની વાતો માની લીધી છે. ખેડૂત એક પગલુ પણ આગળ વધ્યા નથી. બીજી બેઠકમાં પિયુષ ગોયલે ખેડૂતોને એફસીઆઇ સાથે જોડાયેલી જાણકારી આપી છે, જો કે ખેડૂતો સતત કાયદો રદ્દ કરાવવાની માગ સાથે અડ્યા છે.
ખેડૂતોએ ઠુકરાવ્યો પ્રસ્તાવ
સરકાર સાથે બેઠકમાં ખેડૂત સંગઠનોએ સરકારના પ્રસ્તાવને ફરીથી નકારી દીધા છે, ખેડૂત સંગઠનોની માગ છે કે ત્રણેય કાયદા પરત લેવામાં આવે.
બીજી તરફ સિખ ફોર જસ્ટિસ સંગઠનની તરફથી ચીફ જસ્ટીસ બોબડેને ચિઠ્ઠી લખવામાં આવી છે. જેમાં તેમણે અપીલ કરી છે કે ખેડૂતોને 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કાઢવાથી રોકવામાં ન આવે.
ખેડૂત અગ્રણી રાકેશ ટીકૈતે કહ્યું છે કે જો સુપ્રીમ કોર્ટ કહેશે તો ખેડૂતો પોતાની રિપબલિક ડે પરેડમાં ટ્રેક્ટર પરેડ નહીં કરે.
કૃષિ કાયદા મુદ્દે આજે ફરી ખેડૂતો અને સરકાર વચ્ચે ચર્ચા થઈ રહી છે, સરકારના મંત્રીઓ અને ખેડૂતો વિજ્ઞાન ભવન પહોંચ્યા. સરકારે આજે ફરીથી આશા વ્યક્ત કરી કે વાતચીતના મધ્યમથી સમાધાન આવી જશે.
શું કહી રહી છે સરકાર
નોંધનીય છે કે કૃષિ કાયદાને લઈને સરકાર પહેલેથી જ કહી રહી છે કે કાયદા તો પાછા નહીં જ લેવાય પણ ખેડૂતોને જે મુદ્દાઓ પર સમસ્યા છે તેના પર ચર્ચા કરવા માટે તે તૈયાર છે. જોકે બીજી તરફ ખેડૂતો પણ જિદ્દ પર છે કે કાયદા પાછ નહીં લેવાય તો 26મી જનયુઆરીએ પરેડ કરવામાં આવશે.
ખેડૂતોએ કહ્યું કે હવે આશા નથી
કૃષિ કાયદાને લઈને ખેડૂતો અને સરકારના મોટા મોટા મંત્રી વચ્ચે વારંવાર બેઠક કરવામાં આવી રહી છે કે પરંતુ આ બેઠકમાં કોઇ જ નક્કર પગલાં લેવાઈ રહ્યા નથી. એવામાં હવે મામલો જ્યાં કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે હવે તો સરકારથી મને કોઇ વધારે આશા નથી. તેમણે કહ્યું કે અમે માત્ર કાયદા પરત કરવા અને એમએસપીની માંગ કરી રહ્યા છે.
કોંગ્રેસ આક્રમક
બીજી તરફ પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે, નવા કૃષિ કાયદાને પરત લેવા સિવાય તેમને બીજુ કઈ જ મંજૂર નથી. જોકે ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ દ્વારા કૃષિ કાયદાના વખાણ કરવામાં આવ્યા છે. સંસ્થાએ કહ્યું કે આ કાયદા ખેડૂતોને મદદગાર સાબિત થશે અને વચેટિયા વગર સીધો સંપર્ક ખેડૂતો કરી શકશે.