ભારતીય ખેડૂત યૂનિયન એકતાએ દિલ્હી કૂચને લઈને કેન્દ્ર સરકારના ખોટા પ્રચારને ઉજાગર કરવા માટે અને ખેડૂતોના અધિકારોને રજૂ કરનારી 2.5 લાખ પંજાબી ભાષાના અને 50000 હિન્દી ભાષામાં પ્લેમફેટ છપાવીને ઘરે ઘરે વિતરણ કર્યું છે. યૂનિયનના મહાસચિવ સુખદેવ સિંહ કોકરીએ કલાંએ કહ્યું કે કેન્દ્રના અડિયલ વર્તનને કારણે દિલ્હી બોર્ડર પર હજારો ખેડૂતોની સંખ્યા જોવા મળી રહી છે. તેમ છતાં દેશના પ્રધાનમંત્રી ખેડૂતોની સમસ્યાને લઈને ગંભીર નથી.
પ્રધાનમંત્રી અને કેન્દ્ર સરકારના વર્તનને જોતાં ખેડૂત સંગઠન આજે 15 હજાર ખેડૂતો ખનૌરી સીમાથી દિલ્હીમાં પ્રવેશ કરશે. દિલ્હીમાં પ્રવેશ કરનારા ખેડૂતો ખનૌરી બોર્ડર પર પહોંચી ચૂક્યા છે. તેમાં બાળકો, મહિલાઓ અને પુરુષો પણ સામેલ છે. પ્રવેશ સમયે કોઈ અપ્રિય ઘટના બનશે તો તેની જવાબદારી સરકારની રહેશે.
ખેડૂત આંદોલનના વિરોધમાં ચાલી રહેલા દુષ્પ્રચાર અને જનતાને ગેરમાર્ગે દોરવા માટેના સંદેશને માટે ખેડૂત સંગઠનોએ એક જાગરૂકતા અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે સંયુક્ત ખેડૂત મોર્ચા હિંદી અને પંજાહી ભાષામાં 10 લાખ પુસ્તકો અને અંગ્રેજીમાં 5 લાખ પુસ્તકો દેશમાં વિતરણ કરશે. આ પુસ્તકમાં કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાની સચ્ચાઈ છે જે લોકો સુધી પહોંચાડાશે.
NRI ચલો દિલ્હીના આધારે વિદેશથી આવશે પંજાબીઓ
દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને એક મહિનો થઈ ચૂક્યો છે ત્યારે વિદેશમાં વસતા ભારતીયો ખાસ કરીને પંજાબીઓએ ખેડૂતો સાથે જોડાવવાની જાહેરાત કરી છે. તેઓ એનઆરઆઈ દિલ્હી ચલો અભિયાન હેઠળ 30 ડિસેમ્બરે દિલ્હી આવશે.