લોકગાયક કિર્તીદાન ગઢવીએ પોતાના કાર્યક્રમ હાલ પૂરતા રદ કર્યા છે, આણંદનો કાર્યક્રમ પણ રદ કરતાં કહ્યું કે કોરોના નિયમોનું લોકો પાલન કરે તે આપણા સૌ કોઈની ફરજ છે
લોકગાયક કિર્તીદાન ગઢવીએ પોતાના કાર્યક્રમ હાલ પૂરતા રદ કર્યા
ગુજરાતની લાપરવાહ જનતા અને પ્રવાસ, મેળા અને જ્યાં -ત્યાં દેવદર્શન કે દરિયે ઉમટી પડતા ટોળા સાથે કોઈ પણ પ્રકારની માર્ગદર્શિકાનું ઉલ્લંઘનએ યથા યોગ્ય નથી જ. રાજ્યમાં કોરોનાના કેસ વધતા સરકારી અને ખાનગી કાર્યક્રમ રદ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે લોકગાયક કિર્તીદાન ગઢવીએ પોતાના કાર્યક્રમ હાલ પૂરતા રદ્દ કર્યા છે. આજનો આણંદનો કાર્યક્રમ પણ રદ કરતાં કહ્યું કે, કોરોનાના ગાઇડલાઇનનું પાલન કરવું સૌની ફરજ છે.
સરકારી તમામ કાર્યક્રમો રદ્દ્દ
રાજ્ય સરકારે પણ વકરતી કોરોના સ્થિતિ અને સંક્રમણના ફેલાવાના કારણે તમામ સરકારી કાર્યક્રમો રદ કર્યા છે. જેમાં બહુ આયામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ, ટ્રેડ શો, પતંગોત્સવ, ઉપરાંત અમદાવાદના ફ્લાવર શોનો સમાવેશ થાય છે. તો રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આગામી 15 જાન્યુઆરી સુધીના તમામ સરકારી કાર્યક્રમો બંધ રાખવા આદેશ આપ્યો છે. લોકગાયકો, કલાકારો અને સમાજસેવી સંસ્થાઓએ પણ પોતપોતાના કાર્ય્કાર્મો મોટા ભાગે રદ કરી નાખ્યા છે.