લગ્ન કર્યાના 5 વર્ષ બાદ કિર્તી અને તેનો પતિ સાહિલ સહગલ છુટા થવા જઇ રહ્યાં છે. બંને સોશ્યલ મિડાય પર એક બીજા માટે પોસ્ટ કરતા જોવા મળે છે પરંતુ હાલમાં જ એક્ટ્રેસે સોશ્યલ મિડીયા પર લાંબી પોસ્ટ મુકીને આ વાતની જાણકારી ફેન્સને આપી હતી કે બંને અલગ થઇ રહ્યા છે. કિર્તીના આ નિર્ણયે ફેન્સને ચોંકાવી દીધા છે,
કીર્તિ કુલ્હારીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કહ્યું કે હું બધાને આ વાતની જાણકારી આપવા માંગુ છુ કે મે અને મારા પતિ સાહિલે એકબીજાથી અલગ થઇ જવાનો નિર્ણય કરી લીધો છે. અમે માત્ર પેપર પર નહી આખી લાઇફ અલગ રહેવાનો નિર્ણય કરી લીધો છે.
આગળ કિર્તીએ લખ્યું કે કોઇની સાથે સંબંધ તોડી દેવો ખુબ કઠિન નિર્ણય હોય છે. તે લોકો જેને મારી લાઇફની ફિકર છે તે લોકોને હું કહી દેવા માંગુ છુ કે આ બાદ હું કોઇ પ્રકારની ટિપ્પણી નહી કરુ. પોતાની આ પોસ્ટ સાથે એક્ટ્રેસે હાર્ટવાળુ ઇમોજી પણ શૅર કર્યુ હતુ.
કીર્તિની આ પોસ્ટ સોશ્યલ મિડીયા પર ખુબ વાયરલ થઇ રહી છે. લોકો તેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કીર્તિ અને સાહિલ સાથે કામ કરતા હતા. બંનેએ એડમાં સાથે કામ કર્યુ હતુ અને ત્યાંથી જ તેમના સંબંધની શરૂઆત થઇ હતી. બે મહિનાની ડેટીંગ બાદ કીર્તિએ સાહીલને પ્રપોઝ કર્યુ અને 2016માં બંનેએ લગ્ન કરી લીધા હતા.
મહત્વનું છે કે કીર્તિએ પોતાના બોલીવૂડ કરિયરની શરૂઆત ખિચડી ધ મૂવીથી કરી હતી. તે સિવાય તેણે શેતાન, પિંક, ઇન્દુ સરકાર, બ્લેકમેલ, ઉરી, મિશન મંગલ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.