કિંગ્સ ઈલેવન પંજાબે તેની ટીમનું નામ બદલ્યુ છે અને હવે આગામી આઈપીએલ સિઝનમાં તે નવા નામ સાથે ઉતરશે, છેલ્લા ઘણાં સમયથી ટીમ નામ બદલવાનું વિચારી રહી હતી.
ઘણાં સમયથી પંજાબની ટીમ નામ બદલવા ઈચ્છતી હતી
આગામી આઈપીએલ સિઝનમાં નવા નામ સાથે રમતી જોવા મળશે
આઈપીએલની આગામી સિઝન એપ્રિલમાં શરુ થશે
પંજાબની ટીમનું નામ બદલાઈ ગયું
ઈન્ડિયન પ્રિમિયર લીગની 8 ટીમો માંથી એક ટીમ કિંગ્સ ઈલેવન પંજાબે તેની ટીમનું નામ બદલી દીધુ છે. હવે તે આગામી આઈપીએલ સિઝનમા નવા નામ સાથે રમતી જોવા મળશે. પંજાબની ટીમ એક વખત બીજા સ્થાને અને ત્રીજા સ્થાન પર રહી છે પણ તેનાં નામે ક્યારેય આઈપીએલનો ખિતાબ નથી જોવા મળ્યો.
ઘણાં સમયથી બદલવા માંગતા હતા
બીસીસીઆઈનાં એક સુત્ર દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર, પંજાબની ટીમ ઘણા સમયથી ટીમનું નામ બદલવાનો વિચાર કરી રહી હતી અને તેમને લાગી રહ્યું છે કે આગામી આઈપીએલની સિઝન પહેલા ટીમનું નામ બદલી દેવુ યોગ્ય રહેશે. આ કોઈ અચાનક લેવામાં આવેલો નિર્ણય નથી. આગામી આઈપીએલ સિઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમનું નામ બદલીને પંજાબ કિંગ્સ ટીમ રાખવામાં આવ્યું છે.
હજુ સુધી આઈપીએલનો ખિતાબ નથી જીતી
મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રિતિ ઝિંટા અને કરણ પોલની પંજાબ ટીમ જ્યારથી આઈપીએલ શરુ થયુ છે ત્યારથી આઈપીએલમાં ભાગ લે છે પણ તેમ છતાં હજુ સુધી તે કોઈ પણ વાર આઈપીએલનું ટાઈટલ હાંસલ કરી શકી નથી. આગામી આઈપીએલ એપ્રિલમાં શરુ થશે અને તેના માટેની હરાજી આગામી ગુરુવારનાં રોજ કરવામાં આવશે.