ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની મોતની અટકળો સ્પીડ પકડી રહી છે. છેલ્લાં કેટલાક સમયમાં હૃદય સંબંધી સ્વાસ્થ્ય સમસ્યા સામે લડી રહેલા 36 વર્ષીય કિમની હાલમાં જ સર્જરી કરવામાં આવી છે . તેમના સ્વાસ્થ્યને લઈને અનેક સવાલો ઉભા થયા છે. જોકે હાલમાં સોશિયલ મીડિયા અને ચીનમાં કોરિયાઈ તાનાશાહના મોતને લઈને અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. ચીનમાં કિમ જોંગના મરવાના સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે. ત્યારે જાપાનમાં તેઓ સ્વાસ્થ છે અને હરી ફરી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે શું છે આ રહસ્યની હકીકત.
જાપાન મીડિયાએ દાવો કર્યો કિમના મોતનો
ચીનમાં પણ કિમના મોતની અટકળો ચાલી
જોકે દ. કોરિયાના અધિકારીઓેએ કહ્યુ ઉ. કોરિયામાં એવું કઈ લાગી નથી રહ્યુ
ન્યૂઝ એજન્સી રોયટર્સના એક રિપોર્ટ મુજબ ઉ.કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના બિમારીના સમાચારની વચ્ચે ચીનથી ડૉક્ટરોની એક ટીમ કોરિયા મોકલવામાં આવી છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યુ છે કે ચીનની ક્મ્યુનિસ્ટ પાર્ટીના ઈન્ટરનેશનલ લાયજન ડિપાર્ટમેન્ટના એક સિનિયર નેતાના નેતૃત્વમાં આ ટીમ ત્યાં જવા રવાના થવાની વાત કરવામાં આવી હતી. ત્યારે મોડી રાતે હોંગકોંગમાં ચીન સમર્થિત એક ન્યૂઝ ચેનલ દ્વાકા કિમ જોંગના મરવાના સમાચાર આપવામાં આવ્યા હતા. જોકે તેમના મોતની હજુ સુધી કોઈ ખરાઈ કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે કિમ જોંગને છેલ્લે 12 એપ્રિલના રોજ જોવામાં આવ્યા હતા. 15 એપ્રિલ તેમના દાદાજી અને ઉત્તર કોરિયાના સ્થાપક કિમ ઈલ સુંગનો જન્મદિન હતો. તેના ભવ્ય કાર્યક્રમમાં પણ તેઓ નજરે પડ્યા નહોતા.
ત્યારે ચીનની વિદેશ મંત્રાલયે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકો દ. કોરિયાના અધિકારીઓનું કહેવું છે કે તેમને ઉત્તર કોરિયામાં આવી કોઈ અસામાન્ય ગતિવિધિઓના સંકેત નથી મળ્યા. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સાજા થવાની પ્રાર્થના કરી છે.