છેલ્લાં ઘણા સમયથી તાનાશાહ કિમ જોંગ ઉન વિશ્વભરમાં ચર્ચામાં છે, કારણ છે તેમની મોતની અફવા. ગયા મહીને વિવિધ દેશોની સંસ્થાઓએ કિમ જોંગ ઉનને લઈને ઘણા દાવા કર્યા. જોકે 20 22 દિવસ અજ્ઞાતવાસમાં રહ્યા બાદ અચાનક જ સામે આવેલા કિમ જોંગ ઉને બધાને ચોંકાવી દીધા. જે બાદ હવે નિષ્ણાતોએ દાવો કર્યો છે કે આ અફવા ફેલાવવા પાછળ ખુદ કિમ જોંગ ઉનનો જ હાથ હોઈ શકે.
20 દિવસ સુધી દુનિયાની નજરોથી દૂર હતો કિમ જોંગ ઉન
નિષ્ણાતો અનુસાર તાનાશાહે પોતે મોતનું નાટક રચ્યું
પોતાના 'ગદ્દારો'ને શોધવા માટે મોતની અફવા ફેલાઈ હોવાનો દાવો
કિમ જોવા માંગતો હતો ગેરહાજરીમાં કોણ સત્તા ઝૂંટવવા પ્રયત્ન કરે છે
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે નોર્થ કોરિયામાં કોણ ચાલાકીથી કિમ જોંગ ઉનની ગેરહાજરીમાં તેની જગ્યા લઇ શકે છે તે જાણવા માટે જ તાનાશાહે આ કાવતરું ઘડ્યું હતું. આ આરોપ ત્યારે આવ્યો છે જયારે નોર્થ કોરિયાના પૂર્વ વરિષ્ઠ અધિકારીએ કિમ જોંગ ઉનના બીમાર હોવાની ખબર ફેલાવવા બદલ માફી માંગી છે. ઓસ્ટ્રેલિયાના એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કિમ જોંગ ઉને જાણીજોઈને પોતાની મોતનું નાટક રચ્યું જેથી ખબર પડી શકે કે કિમની નજીકના લોકોમાં કોઈ 'ગદ્દાર' તો નથી.
હાર્ટ સર્જરીથી લઇ ન્યુક્લિયર પરીક્ષણ સુધીના દાવા થયા
નોંધનીય છે કે નોર્થ કોરિયાના તાનાશાહ 20 દિવસ સુધી અચાનક જ દુનિયાની નજરોથી દૂર થઇ ગયા હતા જે બાદ તેમના સ્વાસ્થ્ય લઈને મીડિયા અહેવાલોનો રાફડો ફાટ્યો હતો. ઘણા લોકોએ દાવો કર્યો કે કિમની હાર્ટ સર્જરી થઇ રહી છે, તો કોઈ રિપોર્ટમાં દાવો કરાયો કે સેનાની મોક ડ્રીલમાં કિમ ઈજાગ્રસ્ત થઇ ગયો છે ! કેટલાક નિષ્ણાતો એ તો કિમ ન્યુક્લિયર પરીક્ષણ ન કરી રહ્યો હોય તેવી ચિંતા વ્યક્ત કરી નાખી ત્યારે અચાનક જ એક ફેક્ટરીના ઉદ્ઘાટનમાં રીબીન કાપવા પહોંચેલા કિમ જોંગ ઉને આ બધાના મોઢા સીવી નાખ્યા.
કિમે જ રચ્યું મોતનું નાટક
કિમ જોંગ ઉન જ્યારે સામે આવ્યો ત્યારે સંપૂર્ણ સ્વસ્થ દેખાઈ રહ્યો હતો તથા તે ધુમ્રપાન કરતો પણ નજરે પડતા તાનાશાહના સ્વાસ્થ્યના દાવાઓ પણ ખોટા પડી રહ્યા છે. જે બાદ હવે મીડિયાના અહેવાલમાં એક્સપર્ટસનું માનવું છે કે કિમ જોંગ ઉને જાણી જોઇને આ નાટક કર્યું અને તે પોતાની મોતની ખબર બાદ લોકો શું પ્રતિક્રિયા આપે છે તે જોવા માંગતો હતો. જેથી કિમને તે વાતની જાણ થઇ શકે જે તેને કોનાથી ખતરો છે, કોણ તેની સત્તા ઝૂંટવા માટે એક મોકો જોઇને જ બેઠું છે.