બિકાનેરમાં આવેલા કરણી માતા મંદિરમાં ઉંદરો આરતીના સમયે બહાર આવી છે અને અહીં ઉંદરોને મારવું એ મહાપાપ ગણાય છે.
બિકાનેરમાં આવેલ છે કરણી માતા મંદિર
અહીં ઉંદરો મંગળા આરતી સમયે બહાર આવી જાય છે
અહીં ઉંદરોને મારાવા મહાપાપ ગણાય છે
બિકાનેરમાં આવેલ છે કરણી માતા મંદિર
બિકાનેરમાં કરણી માતાનું મંદિર પર્યટકો વચ્ચે ઘણું ફેમસ છે. આ મંદિર કરણી માતાને સમર્પિત છે. અહીં રહેનારા લોકોનું માનવું છે કે કરણી માતા લોકોની રક્ષા કરનાર દેવી દુર્ગાણો અવતાર છે. કરણી માતા ચારણ જાતીની યોદ્ધા ઋષિ હતા. એક તપસ્વીનું જીવન જીવતા, અહીં રહેતા લોકો વચ્ચે તેઓ પૂજતા હતા. જોધપુર અને બિકાનેરનાં મહારાજાઓ દ્વારા અનુરોધ પ્રાપ્ત કર્યા બાદ, તેમને મેહરાનગઢ અને બિકાનેર કિલ્લાની આધારશીલા પણ રાખી હતી. જોકે, તેમને સમર્પિત ઘણા મંદિર છે, પરંતુ બિકાનેરથી ૩૦ કિલોમીટર દૂર દેશનોક શહેરમાં સ્થિત આ મંદિરની સૌથી વધારે માન્યતા છે.
મંદિરની વાસ્તુકલા
કરણી માતા મંદિરનું નિર્માણ 20મી સદીની શરૂઆતમાં બિકાનેરનાં મહારાજા ગંગા સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. મંદિરની આખી સંરચના સંગેમરમરથી બનેલ છે અને તેણી વાસ્તુકલા મુઘલ શૈલીથી મળતી આવે છે. બિકાનેરનાં કરની માતાની મૂર્તિ મંદિરની અંદર ગર્ભગૃહની અંદર બિરાજમાન છે, જેમાં તેઓ એક હાથમાં ત્રિશુળ ધારણ કરેલા જોવા મળે છે. દેવીની મૂર્તિ સાથે તેમની બહેનોની પણ મૂર્તિ બંને તરફ જોવા મળે છે.
પ્રસાદમાં મળે છે ઉંદરનું એઠું
બિકાનેરમાં કરણી માતા મંદિર પોતાની વાસ્તુકલા માટે જ લોકપ્રિય નથી, પણ આ મંદિર 25 હજારથી વધારે ઉંદરોનું ઘર પણ છે, જેમને મોટેભાગે અહીં ફરતા જોઈ શકાય છે. સામાન્ય રીતે કોઈપણ ઉંદરણો એથો ખોરાક ખાવાને બદલે ફેંકી દે છે, પણ અહીં ભક્તને ઉંદરોનો એઠો ખોરાક પ્રસાદ રૂપે આપવામાં આવે છે. આ મંદિરની પવિત્ર પ્રથા છે. આ જ કારણ છે કે ભારત અને વિદેશોથી વિભિન્ન લોકો આ અદભૂત દ્રશ્યને જોવા અહીં આવે છે.
ઉંદરને મારવું છે માહાપાપ
અહીં લોકો ઉંદરો માટે દૂધ, મીઠાઈ અને અન્ય પ્રસાદ પણ લાવે છે. બધા ઉંદરમાંથી સફેદ ઉંદર ઉંદરોને ખાસ કરીને પવિત્ર માનવામાં આવે છે કેમકે તેમને કરણી માતા અને તેમના પુત્રોણો અવતાર માનવામાં આવે છે. જોકે ભૂલથી પણ ઉંદરને ઉજા પહોંચાડવી કે મારવા આ મંદિરમાં ગંભીર પાપ છે. આ અપરાધને અંજામ આપનાર લોકોએ તપસ્યા તરીકે મરેલા ઉંદરને સોનાથી બનેલા ઉંદરથી બદલવા પડે છે. એટલા માટે અહીં લોકો પગ ઉઠાવીને ચાલવાની બદલે ઘસીને ચાલે છે, જેથી કોઈ ઉંદર પગ નીચે ન આવી જાય.
મંગળા આરતીમાં બીલથી બહાર આવી જાય છે ઉંદરો
આ ઉંદરોની વિશેષતા એ પણ છે કે સવારે પાંચ મંદિરમાં થતી મંગળા આર્ત અને સાંધ્ય આરતીના સમયે ઉંદરો પોતાના બિલમાંથી બહાર આવી જાય છે.