મહત્વનું છે કે કાઈરૉન પોલાર્ડ વેસ્ટ ઈન્ડિઝના ધુરંધર બેટ્સમેન છે, આઈપીએલમાં મુંબઈ ઈંડિયંસ ટીમ તરફ્થી રમતા આ ખેલાડીએ ઘણીન મેચોમાં તેની આક્રમક રમત દ્વારા તેની ટીમને જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે અને ભારતીય પ્રેક્ષકોનું મનોરંજન પણ કર્યું છે.
સોશિયલ મીડિયા દ્વારા આપી જાણકારી
કાઈરૉન પોલાર્ડના પિતાનું અવસાન થતાં તેના સમાચારની જાણકારી તેણે સોશિયલમ મીડિયા દ્વારા આપી હતી અને આને લઈને પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે પણ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સચિને તેની ટ્વિટમાં લખ્યું હતું કે મને હમણાં હમણાં જ ખબર મળી છે કે તમારા પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા, આ દુ:ખની ઘડીમાં તમારા અને તમારા પરિવારના દરેક સભ્યોને હું મારી ઊંડી સંવેદકનાઓ પાઠવું છું, ભગવાન તમને આ અપ્રતિમ ક્ષતિથી નીકળવાની શક્તિ આપે.
Just got to know about the demise of your father @KieronPollard55.
My deepest condolences to you & all your family members in this hour of grief.
May God give you the strength to overcome this loss.
નોંધનીય છે કે પોલાર્ડ લિમિટેડ ઓવરના ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન છે અને હાલમાં તેમના નેતૃત્વ હેઠળની ટીમે શ્રીલંકાને હરાવીને વન ડે અને T20 શ્રેણી પોતાને નામ કરી હતી, અને સાથે જ આ પણ મહત્વનું છે કે પોલાર્ડે તેની મુંબઈ ઈંડિયંસની ટીમને ચેમ્પિયન બનાવવામાં ઘણું યોગદાન આપ્યું છે, તે 2010થી આ ટીમ માટે રમી રહ્યા છે અને અત્યાર સુધીમાં 164 આઈપીએલની મેચોમાં કુલ 3023 રન અને 60 વિકેટો તેના નામે કરી છે.