શું તમને વારેઘડી પથરીની સમસ્યા રહે છે તો તેના માટે ઓછું પાણી પીવાની આદત અને વધારે મસાલા વાળું ખાવાનું જવાબદાર હોઈ શકે છે. જેના કારણે દુઃખાવો પણ થાય છે. જો આ બીમારી લાંબા સમય સુધી રહે તો કિડનીને જોખમ રહે છે અને શક્ય છે કે તેની સારવાર પણ ન થઈ શકે. જો તમને પણ આ સમસ્યા છે તો તમે આ 5 ઘરેલૂ ઉપાયથી રાહત મેળવી શકો છો.
પથરીની સમસ્યામાં મેળવો રાહત
5 ઘરેલૂ ઉપાયો કરી શકે છે મદદ
જાણી લો કેટલાક રામબાણ ઉપાયો
પત્થરચટ્ટા છે રામબાણ ઉપાય
પથરીની બીમારીથી લડવાનો સૌથી સરળ અને કારગર ઉપાય પત્થરચટ્ટાના પાન છે. રોજ સવારે ખાલી પેટે 5-6 પાન ચાવીને ખાવાથી ઝડપથી રાહત મળે છે. આ ઉપાયને પથરી કાઢવા માટે સૌથી વધારે કારગર માનવામાં આવે છે. આ છોડ પત્થર તોડવાની ક્ષમતા ધરાવતું હોવાથી તેને પત્થરચટ્ટા કહેવાય છે.
અનાનસનો રસ કરે છે મદદ
અનાનસમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. માનવામાં આવે છે કે અનાનસનો જ્યૂસ પીવાથી કિડની સાફ થઈ જાય છે. આ કિડનીથી પણ વધારે અનાવશ્યક તત્વ કાઢીને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જે લોકોને પથરીની સમસ્યા રહે છે તેને નિયમિત રીતે અનાનસનો જ્યૂસ પીવો.
ડુંગળી ખાવાથી નીકળી જશે પથરી
પથરીના દર્દીએ વધારે પાણી પીવું. માનવામાં આવે છે કે કાચી ડુંગળીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. ગરમીમાં લૂથી બચવામાં પણ કાચી ડુંગળી મદદ કરે છે. જે લોકોને વારેઘડી પથરીની સમસ્યા રહે છે તેઓએ વધારે પ્રમાણમાં ડુંગળી ખાવી.
ગાજરનો જ્યૂસ
ગાજરના જ્યૂસમાં વિટામિન એ અને ફાઈબર વધારે હોય છે. આ કિડનીથી પથરી કાઢવામાં મદદ કરે છે. સાંજે નાસ્તામાં ગાજરનો જ્યૂસ પીવાથી રાહત મળે છે. જેમને પથરીની તકલીફ છે તેઓએ રોજ ગાજરનો જ્યૂસ પીવો. તેનાથી પથરી બનતી બંધ થઈ જશે.
ખારેક કરશે ફાયદો
આ એક ખાસ ઘરેલૂ નુસખો ગણાય છે. તેને ખાવાથી પથરી નીકળી જવાની શક્યતા વધારે રહે છે. રોજ રાતે સૂતા પહેલાં 5-6 ખારેકને સુધારીને એક ગ્લાસ દૂધમાં ઉકાળો. આ ઉપાય એક અઠવાડિયા સુધી રોજ કરવાથી પથરી નીકળી જાય છે.