મહારાષ્ટ્રનાં તલાસરી ગામે રહેતા નરાધમે સ્કૂલે જઈ રહેલી 10 વર્ષીય બાળકીનું અપહરણ કર્યા બાદ બાળકી પર દુષ્કર્મ આચરી તેનું ગળું દબાવી હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
વલસાડમાં હત્યા કરાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ
10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા
પીડિતા મહારાષ્ટ્રના તલાસરીની રહેવાસી હતી
વલસાડના ઉમરગામના વંકાસ નજીક 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. પીડિતા મહારાષ્ટ્રના તલાસરીની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તલાસરી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી. આરોપીએ સ્કૂલ જઈ રહેલી બાળકીનું અપહરણ કર્યું હતું. અપહરણ બાદ બાળકીને ગુજરાતના ઉમરગામના વંકાસ નજીક લાવી પર દુષ્કર્મ આચરી ગળું દબાવી હત્યા કરી. ઘટનાને લઈ સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી છે. મહારાષ્ટ્ર અને વલસાડની ઉમરગામ પોલીસે તપાસ હાથ ધરી હતી.
દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરી દીધી હતી
વલસાડના ઉંમગામના વંકાસ નજીક એક 10 વર્ષીય બાળકી સ્કૂલે જઈ રહી હતી. ત્યારે ગામના જ એક શખ્સ દ્વારા બાળકીનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા બાળકીનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી. ત્યારે પીડિતા મહારાષ્ટ્રના તલાસરીની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આપોરીને ઝડપી પાડ્યો હતો.
બાળકીનું અપહરણ કરી વંકાસ ગામ નજીક લાવ્યો હતો
ત્યારે બાળકી સ્કૂલેથી પરત ન આવતા તેના પિતા દ્વારા શોધખોળ કર્યા બાદ પોલીસ મથકે બાળકી ગુમ થયાની જાણ કરી હતી. ત્યારે સગીરાના પિતા મહારાષ્ટ્રના તલાસરીના રહેવાસી છે. બાળકીનું અપહરણ કર્યા બાદ બાળકીને વંકાસ નજીક લાવ્યો હતો. ત્યારે આ ઘટનાને લઈ સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે મહારાષ્ટ્ર અને વલસાડની ઉંમરગામ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.