16 ઓક્ટોબરે યુવકનું અપહરણ કરીને માગી હતી 50 લાખની ખંડણી
બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર ભલેને રાજ્યમાં કડક કાયદો અને વ્યવસ્થાની દુહાઈ આપતા હોય પરંતુ તેમના ગૃહજિલ્લા નાલંદામાં બનેલી એક ઘટનાએ દેશ આખામાં ભારે ચકચાર જગાવી છે. 16 ઓક્ટોબરે અપહરણ થયેલા એક યુવકને ગુનેગારોએ 50 લાખની ખંડણી ન મળતા જીવતો સળગાવી દીધો હતો. એટલું જ નહીં પરંતુ લાશને પણ નદીમાં ફેંકી દીધી હતી.
ગુનેગારોએ યુવકને જીવતો સળગાવ્યો, લાશ નદીમાં ફેંકી
હોસ્પિટલ ચોક પાસે મુસાદપુરની રહેવાસી ઉર્મિલા દેવીએ 20 વર્ષના પુત્ર નીતિશના અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે તપાસ દરમિયાન સ્કૂલ ઓપરેટર સહિત બે શકમંદોની અટકાયત કરી હતી. પોલીસને મંગળવારે સોહસરાયના આશાનગર ખાતે મધર ટેરેસા સ્કૂલ કેમ્પસમાંથી બદમાશોના પગેરું પર હત્યાના પુરાવા મળ્યા હતા. યુવકને જીવતો સળગાવી ને મારી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ બાકીના ટુકડાઓ નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલ સ્કૂલ ઓપરેટર દીપક કુમાર મૃતકનો પરિવાર છે.બીજા આરોપીઓની શોધખોળ કરી રહેલાસદર ડીએસપી શિબલી નોમાનીએ જણાવ્યું હતું કે, બદમાશોના પગેરું પર શાળાના પરિસરમાંથી હત્યાના પુરાવા મળ્યા હતા. ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવી છે. આ ઘટનામાં સંડોવાયેલા અન્ય બદમાશોને પકડવા માટે પોલીસે દરોડા પાડ્યા છે.
16 ઓક્ટોબરે બદમાશોએ ફોન કરીને 50 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
મૃતકની માતાએ જણાવ્યું કે 16 ઓક્ટોબરે પુત્ર નીતિશે એમેઝોન પરથી ટેબલ મંગાવવાનું કહેતા તે તેને 150 રુપિયા આપીને ઓફિસ જવા નીકળી ગઈ હતી. સાંજે ઘરે પરત ફરતા પુત્ર ઘરે ન હતો. મોડી સાંજ સુધી પુત્ર પરત ન ફરતા તેઓએ તેનો મોબાઇલ ફોન કર્યો હતો. તેની મોબાઇલ સ્વીચ મળી આવી હતી. તેમણે કહ્યું કે મોડી રાતે પુત્રના મોબાઈલ પરથી મને ફોન આવ્યો કે મારો પુત્ર તેમના કબજામાં છે અને આવતીકાલે 50 લાખનો બંદોબસ્ત કરી રાખશો નહીંતર તેઓ પુત્રની મારી નાખશે.