બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તેમના લગ્નની તૈયારીઓ શરુ કરી હોવાનો રિપોર્ટ છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ શરુ કરી લગ્નની તૈયારી
જૈલસલમેર ફોર્ટમાં લગ્ન કરવાના અહેવાલ
6 ફેબ્રુઆરીએ કરી શકે શકે લગ્ન
લગ્નની ચાલી રહી છે ધમધોકાર તૈયારીઓ
બોલિવુડમાં પણ લગ્નસરાની સિઝન ચાલી રહી હોવાનું લાગી રહ્યું છે. એક પછી એક કપલ લગ્નની ગાંઠે બંધાઈ રહ્યાં છે. તાજેતરમાં અથિયાએ તેનું ઘર વસાવી લીધું અને હવે બીજી એક એક્ટ્રેસ પોતાનું ઘર વસાવવા જઈ રહી છે.
સિદ્ધાર્થ-કિયારાએ શરુ કરી લગ્નની તૈયારીઓ
બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પર સૌની નજર છે. દરરોજ તેમના સંબંધોને લઈને અવનવી અફવા ઉડી રહી છે અથવા સમાચાર આવી રહ્યાં છે. હાલમાં જ સિદ્ધાર્થ દિલ્હી જતી વખતે એરપોર્ટ પર સ્પોટ થયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, અભિનેતા તેના લગ્નની તૈયારીઓને અંતિમ ટચ આપવા માટે તેના વતન દિલ્હી ગયો હતો. આ બધાની વચ્ચે અભિનેત્રી કિયારા અડવાણી પણ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે જોવા મળી હતી. એવા અહેવાલો છે કે કિયારા પણ તેના લગ્નના આઉટફિટને ફાઈનલ કરવા પહોંચી હતી. સાથે જ લેટેસ્ટ ગોસિપ એ પણ છે કે સિદ્ધાર્થ- કિયારાના લગ્નની તૈયારીઓ જેસલમેરમાં શરૂ થઈ ગઈ છે.
કિયારા-સિદ્ધાર્થના લગ્ન સૂર્યગઢ પેલેસમાં થશે!
મીડિયા રિપોર્ટ અનુસાર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તૈયારીઓ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં શરૂ થઈ ગઈ છે. વાત તો એવી પણ છે કે
લવબર્ડ્સ 6 ફેબ્રુઆરીએ લગ્ન કરશે. અહેવાલોમાં વધુમાં જણાવાયું છે કે લગ્નની ઉજવણીની શરૂઆત 5 ફેબ્રુઆરીએ સંગીત સમારોહ અને 6 ફેબ્રુઆરીએ લગ્ન અને ત્યારબાદ 7 ફેબ્રુઆરીએ રિસેપ્શન સાથે થશે. રિપોર્ટ્સ અનુસાર કિયારા-સિદ્ધાર્થના ગ્રાન્ડ વેડિંગના 3 દિવસના સેલિબ્રેશન દરમિયાન મહેમાનને રાજસ્થાની કલ્ચરની ઝલક જોવા મળશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કઠપૂતળી અને મંગનીયાર કલાકારોને તેમના લગ્નમાં પરફોર્મ કરવા આમંત્રણ અપાયું છે. મેનુની વાત કરીએ તો તેમાં કોન્ટિનેન્ટલ અને ભારતીય વાનગીઓ જેવી રાજસ્થાની વાનગીઓ તેમજ બાજરીની બ્રેડ, બાજરીની સોયા પણ સામેલ છે. મહેમાનો સેમ સેન્ડ ટેકરામાં ઊંટની સવારીનો આનંદ પણ માણી શકશે.
સિદ્ધાર્થ પાસે કેટલું કામ
સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં જ મિશન મજનુમાં દેખાયો હતો. આ ફિલ્મને ઘણી પ્રશંસા મળી છે. સાથે જ અભિનેતા ટૂંક સમયમાં વેબ સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સમાં જોવા મળશે. રોહિત શેટ્ટી દિગ્દર્શિત આ સિરિઝનું શૂટિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે અને તે એમેઝોન પ્રાઇમ વિડિયો પર રજૂ થવા તૈયાર છે. આ ઉપરાંત સિદ્ધાર્થ એક્શન થ્રિલર ફિલ્મ 'યોદ્ધા'માં પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે જુલાઈમાં રિલીઝ થવાની છે.
કિયારા હાલમાં કયા કામમાં વ્યસ્ત
કિયારા અડવાણીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ 'સત્યપ્રેમ કી કથા'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે ફરી એકવાર 'ભૂલ ભુલૈયા 2'ના એક્ટર કાર્તિક આર્યન સાથે સ્ક્રીન શેર કરશે. આ સાથે જ કિયારા પાસે એસ શંકરની પોલિટિકલ થ્રિલર પણ છે, જેનું નામ હાલમાં 'આરસી 15' છે. આ ફિલ્મમાં તેલુગુ સ્ટાર રામ ચરણ મુખ્ય ભૂમિકામાં છે.