કિઆરા અડવાણીએ પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન સુશાંત સિંહ રાજપૂત વિશે શેર કરી અજાણી વાતો, એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં બંનેએ સાથે કર્યુ હતું કામ
ફિલ્મ અભિનેત્રી કિઆરા અડવાણનો ખુલાસો
સુશાંત સિંહ વિશે છેક હવે બોલી અભિનેત્રી
ખોલ્યા ન જાણ્યા રાઝ
બોલિવુડ ફિલ્મ સ્ટાર એવા સુશાંત સિંહ રાજપૂતનું 2020માં અવસાન થયુ પરંતુ આજે પણ તેમની સાથે કામ કરતા લોકોમાં તે જીવંત છે. સુશાંત સિંહ રાજપૂતને હજી પણ યાદ કરી રહ્યા છે. ત્યારે ફિલ્મ અભિનેત્રી કિઆરા અડવાણીએ એક શૉમાં સુશાંત સાથે જેડાયેલી કેટલીક વાતો શેર કરી હતી. મહત્વનું છે કે કિઆરા અડવાણીની ભૂલભૂલૈયા 2 આવી રહી છે. હાલ તે તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે ધ રણવીર શૉ પોડકાસ્ટમાં કિઆરાએ સુશાંત વિશે કેટલીક દિલચસ્પ વાત કહી.
સુશાંત મોટા મોટા પુસ્તકો વાંચતો
મહત્વનું છે કે એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં બંનેએ સાથે કામ કર્યુ હતું,. આ દરમિયાનનો એક અનુભવ શેર કરતા જણાવ્યું કે અમે ઓરંગાબાદમાં શૂટિંગ પૂર્ણ કરીને રાતે 8 વાગે પેકઅપ કર્યુ. સવારે 4 વાગ્યે અમારી ફ્લાઇટ હતી. મે અને સુશાંતે નાઇટ આઉટ કરવાનો પ્લાન બનાવ્યો. આ સમયે મને સુશાંત સાથે કેટલોક ટાઇમ સ્પેન્ટ કરવાનો સમય મળ્યો. કિઆરાએ જણાવ્યું કે પ્રીતિ ઝિંટાની પાછળ બેક ડાન્સરથી લઇને, એન્જિનિયર સુધી તેની સફર કેવી રહી તે વિશે વાત કરી. તેઓ હંમેશા મોટા મોટા પુસ્તક વાંચતો રહેતો હતો.
બાયોપિક બનવી જોઇએ- કિઆરા
કિઆરાએ વધુમાં જણાવ્યું કે સુશાંતનું માઇન્ડ ઘણું જ પાવરફુલ હતું. મે તેની સાથે વાત કરીને કહ્યું કે તમારા પર એક બાયોપિક બનવી જોઇએ કારણ કે તમારો સંઘર્ષ ઘણો જ દિલચસ્પ છે. તેણે વધુમાં જણાવ્યું કે સુશાંત પોતાની સ્કિલને લઇને ઝનૂની હતી. તેણે એમ પણ ખુલાસો કર્યો કે, 'એમએસ ધોનીના શૂટિંગ દરમિયાન, સુશાંત પાસે એક બુકલેટ હતી જેમાં તેણે ધોનીને પ્રશ્નો પૂછ્યા હતા તે જવાબ સાથે લખેલા હતા. તેણે ધોનીની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ઘણું રિસર્ચ કર્યું હતું.
સુશાંત દિવસમાં માત્ર બે કલાક જ સૂતો હતો
કિઆરાએ ચોંકાવનારી વાત તો એ કરી કે સુશાંત માત્ર બે કલાક જ સૂતો હતો. તેનું માનવુ હતું કે માનવ શરીરને માત્ર 2 કલાક ઉંઘની જરુર છે. આ સાંભળીને કિઆરા પણ શોક થઇ ગઇ હતી. મહત્વનું છે કે ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી 2016માં રિલીઝ થઈ હતી. તેણે આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો સ્ક્રીન એવોર્ડ જીત્યો હતો અને ફિલ્મફેર એવોર્ડ માટે પણ નામાંકિત થયા હતા.