સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની અટકળોને લઇને વધુ એક સમાચાર સામે આવ્યાં છે. મીડિયા રિપોર્ટસ મુજબે સિદ્ધાર્થ-કિયારા સૌથી પહેલા કોર્ટ જઇને પોતાના રજીસ્ટર મેરેજ કરશે. તેમના આ લગ્ન દિલ્હીમાં થશે.
કિયારા અડવાણી સાથે 7 ફેરા લેતા પહેલા કોર્ટ જશે સિદ્ધાર્થ મલ્હોત્રા?
મીડિયા રિપોર્ટસ મુજબ કિયારા-સિદ્ધાર્થ આગામી વર્ષે એપ્રિલમાં લગ્ન કરવાના છે. હવે તેમના લગ્નને લઇને વધુ એક રસપ્રદ રિપોર્ટસ સામે આવ્યાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે કિયારા-સિદ્ધાર્થ સૌથી પહેલા કોર્ટ મેરેજ કરશે.
ઈન્સ્ટન્ટ બોલીવુડના ઈન્સ્ટાગ્રામ રિપોર્ટ મુજબ, કિયારા-સિદ્ધાર્થ એપ્રિલમાં લગ્નના બંધનમાં બંધાશે. જો કે, કપલના લગ્ન ખૂબ પ્રાઈવેટ થવાના છે. લગ્નમાં પરિવાર સિવાય કોઈ પણ બહારનુ વ્યક્તિ સામેલ નહીં થાય.
દિલ્હીમાં થશે કપલના લગ્ન
રિપોર્ટ મુજબ આ લગ્નમાં માત્ર કિયારા અને સિદ્ધાર્થના નજીકના મિત્રો અને પરિવારજનો ઉપસ્થિત રહેશે. જેમાં બોલીવુડમાંથી કોઈને પણ લગ્નમાં આમંત્રિત નહીં કરવામાં આવે. કપલના લગ્ન દિલ્હીમાં થશે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે કિયારા-સિદ્ધાર્થ દિલ્હીમાં કોર્ટ જઇને રજીસ્ટર મેરેજ કરશે અને પછી તેઓ રિસેપ્શન કરશે અને ત્યારબાદ એક કૉકટેલ પાર્ટી રાખશે.
જો કે, રિસેપ્શનમાં બોલીવુડમાંથી કયા-કયા લોકો ઉપસ્થિત રહેશે તે અંગે અત્યાર સુધી કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ એટલુ નક્કી છે કે કપલના લગ્ન એપ્રિલમાં દિલ્હીમાં થશે.