ખોડલધામમાં પાટીદારોની બેઠક બાદ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ મામલે CM રૂપાણી અને બીજા નેતાઓ સાથે પાટીદાર નેતાઓએ બેઠક કરી હતી. અને કેટલીક રજૂઆતો કરી હતી.
લેઉવા પાટીદાર સમાજની રજૂઆત
સરકારને કરી રજૂઆત
પાટીદાર સમાજ સાથે ભેદભાવનો આક્ષેપ
ખોડલધામમાં લેઉવા પાટીદાર સમાજની બેઠકનો મામલો હજુ પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે બેઠક બાદ આગેવાનો દ્વારા સરકારમાં કેટલીક રજૂઆત કરવામાં આવી હતી. સરકાર પાટીદાર સમાજ સાથે ભેદભાવ રાખતા હોવાની રજૂઆત છે.
જામનગરમાં 7 પાટીદાર યુવાનો પર કાર્યવાહી
જામનગરમાં 7 પાટીદાર યુવાનો પર કાર્યવાહીને પગલે રજૂઆત કરવામાં આવી હતી જેમાં ગોંડલના નિખિલ દોંગા વિરુદ્ધ કાર્યવાહીને પગલે પણ રજૂઆત કરવામાં આવી હતી. ગુંડા એક્ટ હેઠળ આ તમામ પર કાર્યવાહી કરાઈ છે. પોલીસ દ્વારા રાગદ્વેષ રાખીને કાર્યવાહી કરવાની ફરિયાદ નોંધાઈ છે. નરેશ પટેલે ભાજપ-કોંગ્રેસના નેતા સાથે બેઠક યોજી હતી. રાદડિયા, પરેશ ધાનાણી, ઝડફિયા સાથે નરેશ પટેલની બેઠક હતી.