રાજકોટમાં કોરોનાને લઇ ગરબા આયોજકોએ મોટો નિર્ણય કર્યો છે. કોરોનાના કેસ વધતા ગરબા આયોજકોએ ગરબા ન યોજવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે ખોડલધામ રાસોત્સવ આ વર્ષે રદ્દ કરાયો છે. ગરબા આયોજકોના જણાવ્યા અનુસાર રાજકોટ, અમદાવાદ અને સુરતમાં આ વર્ષે ગરબા યોજાશે નહીં.
કોરોનાનો વધતા કેસોને લઈ મહત્વનો નિર્ણય
ખોડલધામ રાસોત્સવ આ વર્ષે રદ્દ કરાયો
રાજકોટમાં ગરબા સંચાલકોનો ગરબા નહીં યોજવા નિર્ણય
રાજકોટમાં સરગમ ક્લબ, સહિયર ક્લબ, જૈન વિઝનના ગરબા નહીં યોજાય. રાજકોટમાંમાં ઝોનવાઇઝ યોજાતા રાસોત્સવનું આયોજન ખોડલધામના સંસ્થાપક નરેશ પટેલે રદ્દ કર્યું છે. રાજકોટના ચાર અલગ અલગ ઝોનમાં છેલ્લા 10 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે હવે આ વર્ષે ખોડલધામ રાસોસ્તવ રદ્દ કરાયો છે. જોકે રાજકોટના સૌથી મોટો સહિયર ક્લબના ગરબા યોજાય છે. જો કે કોરોનાના કારણે ગરબા નહીં યોજવા નિર્ણય કર્યો છે. જેને લઇ ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે હવે રાજકોટ સહિત રાજ્યના કુલ 25 જેટલા મોટા ગરબા આયોજનો થાય છે તે આ વર્ષે નહીં યોજાય.
એક વર્ષ ગરબા આયોજન નહીં થાય તો કઇ છૂટી જશે નહીંઃ રાજપથ ક્લબ
તો બીજી તરફ અમદાવાદમાં આ વર્ષે રાજપથ ક્લબ ગરબા યોજશે નહીં. વિધિવત જાહેરાત સરકારના નિર્ણય બાદ કરવામાં આવશે. વાઇસ પ્રેસિડન્ટ વિક્રમ શાહે VTV સમક્ષ ગરબાને લઇ જાહેરાત કરી છે. ઓછા સભ્યો સાથે ગરબા આયોજન શક્ય જ નથી. એક વર્ષ ગરબા આયોજન નહીં થાય તો કઇ છૂટી જશે નહીં.
સરકાર મંજૂરી આપશે તો પણ ગરબા નહીં કરીએઃ સુરત ગરબા આયોજકો
સુરતમાં નવરાત્રી પહેલા ગરબાને લઇ અસમંજસ છે. આયોજકો પણ ગરબા ન કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. સરકાર પરવાનગી આપે તો પણ ગરબા કરશે નહીં. કોરોનાની ગતિ રોકવા માટે તંત્ર મથામણ કરી રહ્યું છે. તંત્રની કામગીરી વચ્ચે નવરાત્રીથી કોરોના વધવાની દહેશત છે.