નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નક્કી થતા બંધારણમાં ફેરફારના સંકેત સૂત્રોના હવાલાથી મળી રહ્યા છે
ખોડલધામના બંધારણમાં થઈ શકે છે ફેરફાર-સૂત્ર
નરેશ પટેલ માટે બંધારણમાં ફેરફારની શક્યતા
ચેરમેન પદ અને રાજકીય પ્રવેશ બંને સચવાશે !
હાલ ગુજરાતની રાજનીતિમાં અનેક મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે તેમાંનો એક નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગેનો છે. નરેશ પટેલ કોઈ રાજકીય પક્ષમાં જોડાય તે પહેલા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી નિશ્ચિત મનાઈ રહી છે પણ હાલમાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નરેશ પટેલ ખોડલધામના ચેરમેન પદેથી રાજીનામું આપ્યા વગર રાજનીતિમાં પગરવ માંડી શકે છે.
ખોડલધામના બંધારણમાં ફેરફારના સંકેત - સૂત્ર
નરેશ પટેલના રાજકારણ પ્રવેશ મુદ્દે ખાસ સૂત્રો દ્વારા મોટી માહિતી મળી છે કે ખોડલધામના બંધારણમાં ફેરફારના સંકેત જોવા મળી રહ્યા છે. નરેશ પટેલ માટે ખોડલધામના બંધારણમાં ફેરફાર થઈ શકે છે. નરેશ પટેલ રાજકારણ સાથે ખોડલધામના ચેરમેન પણ રહેશે. બંધારણ મુજબ રાજકારણમાં જતાં પહેલાં પદ છોડવું પડે છે. પણ હવે નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નક્કી થતા બંધારણમાં ફેરફારના વરતારા દેખાઈ રહ્યા છે. મહત્વનું એ પણ છે કે નરેશ પટેલના પરિવારના જ ખોડલધામના ચેરમેન રહે છે.
ઉમિયાધામના બંધારણમાં તો..
આપને જણાવી દઈએ કે નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશતા પહેલા ખોડલધામ છોડશે તેવુ વાતો પણ થઈ રહી છે કારણ કે ખોડલધામના બંધારણ મુજબ રાજનીતિમાં પ્રવેશતાની સાથે જ પદ છોડવું જરૂરી છે પણ આ પહેલા બીજી તરફ ખોડલધામના ટ્રસ્ટીઓનો વિપરીત મત રજૂ કર્યો હતો. ખોડલધામના ટ્રસ્ટીઓએ તર્ક આપ્યો હતો કે જો બાબુ જમના પટેલ ઉમિયાધામના પ્રમુખ બની શકે તો નરેશ પટેલ ખોડલધામના ચેરમેન કેમ ન રહે. જો કે સમગ્ર મુદ્દે નરેશ પટેલનો નિર્ણય આખરી રહેશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જો નરેશ પટેલ ખોડલધામના ચેરમેન પદેથી રાજીનામું આપશે તો તેમના સ્થાને દિનેશ કુંભાણી ખોડલધામના ચેરમેન બને તેવી શક્યતાઓ છે. દિનેશ કુંભાણી નરેશ પટેલની નજીકના વ્યકિત છે.