ભાજપના નેતા દીલીપ સંઘાણીના ભાઇનું નિધન થતાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે સંઘાણી સાથે મુલાકાત કરી સાંત્વના આપી હતી.
દિલીપ સંઘાણીને મળ્યાં નરેશ પટેલ
તેમના ભાઈના નિધન પર આપી સાંત્વના
અન્ય પાટીદાર નેતાઓ પણ રહ્યાં હાજર
ભાજપ નેતા દીલીપ સંઘાણીના નાના ભાઇનું તાજેતરમાં નિધન થયુ છે. ત્યારે આ દુ:ખની ઘડીમાં પાટીદાર આગેવાન નરેશ પટેલ સહિતના અગ્રણીઓ સાંત્વના પાઠવવા દિલીપ સંઘાણીને મળવા પહોંચ્યા હતા. જ્યાં ભાજપ-કોંગ્રેસના રાજકીય હરિફોએ સંઘાણી બેઠક કરી ભાઇના નિધનથી પર શોક વ્યક્ત કર્યો હતો.
નરેશ પટેલ સાથે કોંગ્રેસના MLA પ્રતાપ દુધાત સહિતના રહ્યા હાજર
દીલીપ સંઘાણીના નાના ભાઇનું નિધન અંગેના સમાચાર મળતા ખોડલધામના ચેરમેન અને પાટીદાર આગેવાન નરેશ પટેલ પોતાના તમામ કામો પડતાં મૂકી ભાજપના નેતા દિલીપ સંઘાણીને મળવા ગયા હતા. આ તકે નરેશ પટેલ સાથે કોંગ્રેસના MLA પ્રતાપ દુધાત અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના અનેક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.સાથે સાથે શરદ ધાનાણી, સુરેશ કોટડીયા સહિતના કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા. આમ ભાજપ-કોંગ્રેસના અન્ય પાટીદાર નેતાઓએ રાજકિય હરીફાઈ ભૂલી દિલીપ સંઘાણીને સાંત્વના પાઠવી હતી.
નોંધનીય છે કે નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની આટકળો વહેતી થયા બાદ દીલીપ સંઘાણીએ તેમની વિરુદ્ધ નિવેદન પણ આપ્યું હતું છતાં નરેશ પટેલ સંઘાણીના ભાઇના નિધન અંગે શોક વ્યક્ત કરવા દોડી ગયા હતા.