આજે માઈ ભક્તો માટે અતિ આનંદન દિવસ છે. આજે પાટીદાર સમાજના આસ્થાના સમા ખોડલધામને 4 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે ખોડલધામમાં પાટોત્સવ સહિતની ઉજવણીઓ બંધ રખાઇ. જો કે આ પ્રસંગે મહાઆરતી કરીને ઉજવણી કરવામાં આવી હતી અને મંદિર દ્વારા કોરોનાની મહામારીને લઇ ઘરે જ દર્શન કરવા પણ અપીલ કરાઈ હતી.
આજે ખોડલધામનો ચોથો પાટોત્સવ
ચેરમેન નરેશ પટેલે મહાઆરતી કરી ઉજવણી કરી
કોરોનાના લીધે ભવ્ય ઉજવણી બંધ રાખવામાં આવી
વિશ્વભરમાં પટેલોના આસ્થાનું કેન્દ્ર બની ચૂકેલ એવામાં ખોડિયાર માતાજી નું ધામ એવું ખોડલ ધામની પ્રાણપ્રતિષ્ઠા કરવા માં આવી તેને આજે 4 વર્ષ પુરા થઇ રહ્યા છે, આજે થઈ 4 વર્ષ પહેલાં 21 જાન્યુઆરી 2017ના રોજ કાગવડ ખાતે મા ખોડલના ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી, આજે આ મા ખોડલનું મંદિર અનેક લોકો અને અનેક જ્ઞાતિનું આસ્થાનું કેન્દ્ર બની ચૂકેલ છે, અને વિશ્વભરના લેવા પટેલનું આસ્થા નું કેન્દ્ર બની ચૂક્યું છે.
21 તારીખે ખોડલધામનો 4થો પાટોત્સવ
દર વર્ષે અહીં માતાજીનો પાટોત્સવ ધામ ધૂમ પૂર્વક ઉજવવામા આવે છે ઉજવવામાં આવે છે, ગત વર્ષે જે કોરોનાની મહામારીને લઈને 10 મહિના સુધી મંદિર બંધ રહ્યું હતું અને માતાજીના ભક્તો એ ઘરે રહીને માની આરાધના કરી હતી આજે 21 તારીખે ખોડલધામનો 4થો પાટોત્સવ છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ખુબજ સાદાઈથી ઉજવવામાં આવ્યો હતો.
શ્રધ્ધાળુ ઓ અહીં આજે મા ના દર્શન માટે આવ્યા
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આજે અહીં માતાજીની આરતી કરીને 4 થા પાટોત્સવની ઉજવણી કરી હતી સાથે સાથે અનેક શ્રધ્ધાળુ ઓ અહીં આજે મા ના દર્શન માટે આવ્યા હતા, આ તકે નરેશ પટેલે માં ને પ્રાર્થના કરી હતી કે માં તમામ વિશ્વ ને કોરોના ની મહામારી થી બહાર લાવે અને લોકો ને આ મહામારી થી રક્ષણ કરે, સાથે સાથે નરેશ પટેલે લોકોને ઘરમાં જ રહીને મા નો પાટોત્સવ ઉજવવા અપીલ કરી હતી.