કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી ખોડલધામમાં નરેશ પટેલને મળી બંધ બારણે કરી બેઠક.અગાઉ પાટીલ ઘરે જઈને મળ્યા હતા હવે નવા રાજનીતિક સમીકરણ પર ચાલશે ચર્ચા.
ખોડલધામમાં ભરતસિંહ સોલંકી
નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક
રાજનીતિક સમીકરણ પર સૌની નજર
2022ની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે.. તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં રોજ નવા-નવા સમીકરણો સામે આવે છે. તેમાં પણ પાટીદાર ફેક્ટર પર સૌકોઈની નજર મંડરાયેલી છે. કારણ કે, 2022માં પાટીદારો પોતાના મુખ્યમંત્રી હોવા જોઈએ તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં ભાજપે તો પાટીદાર મુખ્યમંત્રી બનાવી પાટીદાર સમાજની વોટબેંકને આકર્ષવાનો પ્રયાસ કર્યો.. પરંતુ હવે કોંગ્રેસ પણ પાટીદાર વોટબેંક તરફ મીટ માંડીને બેઠી છે. અને ભરતસિંહ સોલંકીની નરેશ પટેલ સાથેની બેઠક બાદ તો રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. ત્યારે કેમ ખાસ માનવામાં આવે છે
ખોડલધામમાં પાટીદારોની બેઠક મળવી. ત્રીજી પાર્ટીનું ગુજરાતમાં વર્ચસ્વની વાત થવી પાટીદાર મુખ્યમંત્રીની ઈચ્છા વ્યકત કરવી. પ્યૂનથી લઈને પાર્લામેન્ટ સુધી સમાજનો વ્યક્તિ હોવો જોઈએ. આ પ્રકારના નિવેદનો બાદ ગુજરાતના બંને મોટા રાજકાૃય પક્ષો એક જ સમાજની નારાજગીથી પોતાની હાર જોઈ ગયા હોય તેવો માહોલ બન્યો છે.. અને તેની હકિકત આ બંને તસવીરોમાં છે.
અગાઉ પાટીલે પણ કરી હતી મુલાકાત
થોડા દિવસ પહેલા જ સૌરાષ્ટ્રમાં વધી રહેલા જૂથવાદને ખતમ કરવા માટે સી.આર.પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચ્યા હતા..આ દરમિયાન તેમણે ખોડલખામના પ્રમુખ નરેશ પટેલ સાથે બંધ બારણે મુલાકાત કરી હતી.. જે બાદ પાટીદારોને મનાવવાના પ્રયાસો થતા હોવાની ચર્ચા પણ શરૂ થઈ હતી.. અને ભાજપે પાટીદારો સામેના કેસો પરત ખેંચવાની જાહેરાત કરી હતી. તેવામાં હવે કાોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક યોજી વધુ એક વખત રાજકીય ચર્ચાઓને વેગ આપ્યો છે.
ભરતસિંહ સોલંકીની નરેશ પટેલ સાથેની આ મુલાકાત એટલા માટે ચર્ચાનો વિષય બની છે કારણ કે, શુક્રવારે જ કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા. અને સુખરામ રાઠવાને વિપક્ષ નેતા..આમ કાોંગ્રેસે ઓબીસી અને એસટી વોટબેંકને પોતાના તરફી કરવાનો દાવ ખેલ્યો. અને હવે બીજા જ દિવસે ભરતસિંહ સોલંકી નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક માટે ખોડલધામ પહોંચી ગયા હતા.. એટલું જ નહીં આ બેઠકથી ગીતા પટેલ અને મહેશ રાજપૂત સહિતના કાોંગ્રેસના નેતાઓને પણ દૂર રાખવામાં આવ્યા. ત્યારે ચોક્કસ પણે આ બેઠક 2022ની ચૂંટણીને લઈને પાટીદાર મતોને કાોંગ્રેસ તરફી લાવવા માટેનો પ્રયાસ હતો.
અહીં આપણે એવાત પણ ન ભૂલી શકીએ કો, ગત ઓગસ્ટ મહિનામાં ખોડલ ધામથી એવી લાગણી અને માગણી વ્યક્ત કરાઈ હતી કે, 2022ની ચૂંટણી બાદ ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર જ હોય. અને ત્રણ જ મહિનામાં તેની અસર જોવા મળી. પાટીદાર સમાજનો સરદાર ધામ કાર્યક્રમ રૂપાણી સરકારનો આખરી જાહેર કાર્યક્રમ બની ગયો. તેવામાં સી.આર.પાટીલ બાદ ભરતસિંહ સોલંકીની ખોડલધામ મુલાકાત અનેક તકા વિતર્કો સર્જાયા છે. ત્યારે જોવાનું એ રહેશે કે, ભરતસિંહ સોલંકીની આ મુલાકાત ગુજરાતની ત્રીજી સૌથી મોટી જ્ઞાતિના મત કોંગ્રેસ તરફી લાવી શકશે. કે, પછી ભાજપ મુખ્યમંત્રીના નામે બાજી મારે છે..