ખીચડી છેલ્લા કેટલાક દિવસથી ખાસ ચર્ચામાં છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વિશ્વ કક્ષાના ફુડ ફેસ્ટીવલનું ઉદ્ઘાટન કરતા ખીચડીના બહુ વખાણ કર્યા હતાં. જો કે તેમના આ વખાણ બાદ ખીચડી રાષ્ટ્રીય ભોજન બનવા જઇ રહી છે. ત્યારે આ ખીચડી ભગવાન શિવ સાથે તેની વાત જોડાયેલી છે.
એક માન્યતા અનુસાર મકર સંક્રાંતીના દિવસે ઉત્તર પ્રદેશના ગોરખપુર સ્થીત ભગવાન શિવના સ્વરૂપ ગોરખનાથને ખીચડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ દિવસને ઉત્તર પ્રદેશમાં ખીચડી પર્વ તરીકે પણ મનાવવામાં આવે છે. એક લોકવાયકા મુજબ ભગવાન શિવના ગોરખનાથ સ્વરૂપે સૌ પ્રથમ ખીચડી બનાવી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.
એક વાત મુજબ ખીલજીએ જ્યારે આક્રમણ કર્યુ ત્યારે નાથ યોગી તેનો સામનો હિંમતભેર કરી રહ્યા હતા. તેઓ પોતાની સાથે કામ કરી રહેલા યોગીઓ માંટે તેમને જમવાનું બનાવવા માંટે સમય મળતો નહોતો અને દિવસે ને દિવસે તેમની સમસ્યા વધતી જતી હતી. આમ અશક્તિની સમસ્યાને દુર કરવા ગોરખનાથે દાળ ચોખા અને શાકભાજીનું મિશ્રણ કરીને ભોજનમાં સ્વાદિષ્ઠ ખીચડી બનાવી અને બધાને પીરસી જેના કારણે યોગીઓમાં શક્તિનો એક નવો સંચાર થયો. ઉલ્લેખનીય છે કે આ ઘટનાને આજે વર્ષો વીતી ગયા પરંતુ આજે પણ એકબંધ છે. અને આજે પણ મકર સંક્રાંતિના દિવસે બાબા ગોરખનાથને ભોજનમાં ખીચડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.