વડોદરાઃ જમીનવિકાસ નિગમની ઓફિસના અંડરમાં આવતી આંણદ સબ ડિવિઝનના અધિકારીઓએ વડોદરા તાલુકાના બે ગામોમાં ખેત તલાવડીઓ બનાવ્યા વગરજ 11 લાખ જેટલી માતબર રકમ ઉપાડી લીધી હતી.
આખી હકીકત એસીબીના ધ્યાનમાં આવતા તપાસ કરી તો જમીન માલિકના ખેતરમાં કોઈ જ તલાવડી બનાવવામાં જ આવી નથી. નાણાં બરોબર ઉપાડી લેવામાં આવ્યા છે. આખી હકીકતનો પર્દાફાશ કરીને એસીબીએ મદદનીશ નિયામક ફિલ્ડ સુપરવાઈઝર અને ક્ષેત્રીયત મદદનીશની ધરપકડ કરી છે.
જો કે આખા મામલા બાદ જાણવા મળ્યું છે કે આ તમામ કામગીરીનું જે સંસ્થાએ મોનીટરીંગ કરવાનું છે. તેવી વડી કચેરીમાં પૂરતો સ્ટાફ જ નથી. અહીં 13 કર્મચારીના મહેકમ સામે માત્ર 5 કર્મચારી જ કામ કરે છે. જેના કારણે કોઈ જ કામો થતા નથી. માત્ર કેટલાક અધિકારીઓ જ બધો કારોબાર સાંભળે છે એન પોતાનું એક હથ્થુ શાસન ચલાવે છે.