ચૂંટણી / ભિલોડાનાં આ ગામનાં લોકો સમસ્યાઓથી પીડિત, અપનાવ્યું બહિષ્કારનું હથિયાર

Kheradi villagers decided to boycott the polling during the next Lok Sabha election

રાજ્યમાં લોકસભા ચૂંટણી યોજાવાને હવે થોડાં દિવસ બાકી રહ્યાં છે ત્યારે એક તરફ નેતાઓ પ્રચારકાર્યમાં વ્યસ્ત બન્યાં છે તો સામે પક્ષે જનતાને તેમની સમસ્યા યાદ આવવા લાગી છે. કેમ કે, આ ચૂંટણી જ તો એક એવી મોસમ છે જેમાં જનતાને નેતાનાં વાયદાઓ યાદ આવે છે અને નેતાઓને જનતા યાદ આવે છે. યાદગીરીનો આ જ સુયોગ જનતાને નેતાઓને બાનમાં લેવા માટે મદદગાર થઈ પડે છે. કેમ કે ચૂંટણી સમયે નાગરિકો પાસે બે પ્રકારનાં હથિયાર હોય છે એક હોય છે મતદાનનું અને બીજું હોય છે ચૂંટણી બહિષ્કારનું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ