રાજ્યમાં લોકસભા ચૂંટણી યોજાવાને હવે થોડાં દિવસ બાકી રહ્યાં છે ત્યારે એક તરફ નેતાઓ પ્રચારકાર્યમાં વ્યસ્ત બન્યાં છે તો સામે પક્ષે જનતાને તેમની સમસ્યા યાદ આવવા લાગી છે. કેમ કે, આ ચૂંટણી જ તો એક એવી મોસમ છે જેમાં જનતાને નેતાનાં વાયદાઓ યાદ આવે છે અને નેતાઓને જનતા યાદ આવે છે. યાદગીરીનો આ જ સુયોગ જનતાને નેતાઓને બાનમાં લેવા માટે મદદગાર થઈ પડે છે. કેમ કે ચૂંટણી સમયે નાગરિકો પાસે બે પ્રકારનાં હથિયાર હોય છે એક હોય છે મતદાનનું અને બીજું હોય છે ચૂંટણી બહિષ્કારનું.