ગુજરાતમાં મહિલાઓ ઉપર દુષ્કર્મ, મોત, દહેજ, ઉત્પીડનની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. ત્યારે ગુજરાતના ખેડબ્રહ્મામાં એક મહિલાની લાશ ચાર દિવસથી ન્યાય માટે રઝડી રહી છે. લાશની અંતિમવિધિ કરવામાં નથી આવી કારણ કે લાશને ન્યાય મળવા માટે પરિવારજનોએ વિરોધ પ્રદર્શિત કર્યો છે.
હત્યા કે આત્મહત્યા?
ચાર દિવસથી નથી કરાી અંતિમ વિધિ
પોલીસનું શું કહેવુ છે
ખેડબ્રહ્મા પોશીનાના મતરવાડા ગામની 32 ર્વિષય મહિલા રમીબેન કિશનભાઈ પરમારની ભિલોડા પાસે હાથમતી નદીના કિનારે ખેતરો તરફ જવાના માર્ગ ઉપર ઝાડ ઉપરથી લટકતી હાલતમાં લાશ મળી આવી હતી.
શું છે મેટર?
22મી તારીખે મહિલા 100 રૂપિયા ભાડુ લઈને તેના પિતાના ઘરે જવા નીકળી હતી,પરંતુ તે પહોંચી ન હતી અને 24મીએ ઝાડ ઉપરથી લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવને પગલે મૃતકના સાસરીપક્ષના અને પોશીના તાલુકાના પિયરપક્ષના સબંધીઓ દોડી પહોંચ્યા હતા અને ભિલોડા કોટેજ હોસ્પિટલમાં પીએમ કરાવી લાશનો કબજો લીધો હતો. જો કે લાશ ઘરે લઈ ગયા બાદ મહિલાની હત્યા થઈ હોવાની આશંકાને પગલે ચાર દિવસથી અંતિમવિધિ કરવામાં આવી નથી.
ચાર દિવસથી નથી કરાી અંતિમ વિધિ
છેલ્લા ચાર દિવસથી મહિલાની લાશ માતરવાડા ગામે મુકી રાખવામાં આવી છે અને જ્યાં સુંધી ન્યાય ન મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ છે.
પોલીસનું શું કહેવુ છે
ભિલોડા પીએસઆઈએ જણાવ્યુ હતુ કે, મહિલાની લાશ ઝાડ પરથી લટકતી હાલતમાં મળી આવતાં હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. લાશનુ પીએમ કરાવાતાં ગળે ફાંસો ખાવાથી મોત થયાનુ પ્રાથમિક રિપોર્ટમાં બહાર આવ્યુ છે.