એક તરફ રાજ્યમાં લાંચિયા અધિકારીઓ તો બીજી તરફ સરકારી ગ્રાન્ટમાંથી ઉચાપત કરતાં અધિકારીઓ જોવા મળી રહ્યાં છે. રાજ્યમાં આ મહિને છેલ્લા 5 વર્ષમાં લાંચિયા કર્મચારીઓ કેટલા ઝડપાયાં તેને લઇને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં લાંચિયા અધિકારીઓની ધરપકડ મામલે અમદાવાદ શહેર મોખરે છે. ત્યારે ખેડબ્રહ્મા તાલુકામાંથી એક વધુ ભ્રષ્ટાચારી તલાટી ઝડપાયો છે.
ખેડબ્રહ્મા તાલુકામાથી ભ્રષ્ટાચારી તલાટી ઝડપાયો
રાધીવાડ ગામમાથી તલાટી અખિલ પટેલે 80 હજારની કરી ઉચાપત
રોડ માટે મંજૂર થયેલી ગ્રાન્ટમાંથી કરી ઉચાપત
એક મળતાં અહેવાલ મુજબ ખેડબ્રહ્મા તાલુકામાંથી વધુએ એક લાંચીયો અધિકારી ઝડપાયો છે. રાધીવાડ ગામના તલાટીનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે. તલાટી અખિલ પટેલે 80 હજારની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે.
તલાટીએ રોડ માટે મંજૂર થયેલી ગ્રાન્ટમાંથી 80 હજારની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. ગામના વિકાસ માટે 4.80 લાખ ગ્રાન્ટ મંજૂર થઈ હતી.
ગ્રાન્ટમાં ગોલમાલ થતાં ગ્રામજનોએ તલાટી સામે ફરીયાદ કરી હતી. જે બાદ તાલુકા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યાં છે.