ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલ ગુજરાત કોંગ્રેસને પડશે વધુ એક ફટકો પડ્યો છે. ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ આજે ભાજપમાં જોડાશે. સવારે 9 વાગે કમલમ ખાતે અશ્વિન કોટવાલ પહોંચશે. જ્યાં 100થી વધારે કાર્યકરો સાથે તેઓ ભાજપમાં જોડાશે. તાલુકા સભ્યો સાથે અશ્વિન કોટવાલ કેસરિયો ધારણ કરશે. આ પ્રસંગે સાબરકાંઠાના જિલ્લા ભાજપના હોદ્દેદારો પણ હાજરી આપશે.
કોંગ્રેસથી નારાજગીનું કારણ શું?
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના કાર્યક્રમોમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી જોવા મળી રહી છે. પાર્ટીએ વિપક્ષના નેતા ન બનાવતા નારાજ થયેલા અશ્વિન કોટવાલે ભાજપનો છેડો પકડ્યો હોય તેવી ચર્ચાઓએ જોર પડક્યુ છે. સમગ્ર વિધાનસભા સત્રમાં કોટવાલ નિષ્ક્રિય રહ્યા હતા. જે જોતા લાગી રહ્યુ છે અશ્વિન કોટવાલ કોંગ્રેસથી નારાજ છે.
અશ્વિન કોટવાલથી ભાજપને શું ફાયદો ?
અશ્વિન કોટવાલના પ્રવેશથી ભાજપને ફાયદો થશે
ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ભાજપ પાસે નેતા નથી
ભાજપ ઉત્તર ગુજરાતના અદિવાસી નેતા તરીકે પ્રમોટ કરી શકે
ઉત્તર ગુજરાતમાં આદિવાસી બેલ્ટ પર કોંગ્રેસનું પ્રભુત્વ છે
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની આદિવાસી સીટ કોંગ્રેસ પાસે છે
ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને ચેલેન્જ કરી શકે છે
અનિલ જોષીયારાના નિધન બાદ કોટવાલ અદિવાસીમાં ઓળખ
કોટવાલમા ભાજપ પ્રવેશથી કોંગ્રેસ પાસે નેતા નહી રહે
કોંગ્રેસ માટે ચિંતાનો વિષય
મહત્વનુ છે કે ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ 3-4 ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલ થકી કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારુ પ્રભૂત્વ મેળવી રહી છે. આવા સમયમાં કોંગ્રેસ આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટેના જે કાર્યક્રમો કરી રહી છે તેમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. જે આવનાર ચૂંટણીને લઇને આદિવાસી મતવિસ્તારોનો આકર્ષવા કોંગ્રેસ માટે ઘણી ચિંતાજનક સાબિત થઇ શકે છે.