ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા આચરવામાંઆવેલા સૃષ્ટી વિરુદ્ધના કૃત્ય મામલે ભોગ બનનાર સગીર અને ફરિયાદીએ નડિયાદ કોર્ટમાં નિવેદન આપ્યું હતું. કલમ 164 મુજબ સગીર અને ફરિયાદીનું કોર્ટ સમક્ષ નિવેદન આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, સુવ્રત સ્વામીએ સગીર પાર્ષદ સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. સુવ્રત સ્વામી અને અન્ય બે સંતો પણ તેમાં મદદગાર હતા. આપને જણાવી દઈએ પોતાની સામે ફરિયાદ બાદ આરોપી સુવ્રત સ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
કલમ 164 મુજબ સગીર અને ફરિયાદીનું કોર્ટ સમક્ષ નિવેદન
સુવ્રત સ્વામીએ સગીર પાર્ષદ સાથે ગુજાર્યું હતું દુષ્કર્મ
સુવ્રત સ્વામી અને અન્ય બે સંતો પર મદદગારીનો છે આરોપ
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંત દ્વારા ત્યાં જ રહેતા એક સગીર પાર્ષદ ઉપર દાનત ખરાબ રાખી તેની ઉપર સૃષ્ટી વિદુધ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ અંગે ભોગ બનનારના પિતાએ ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આવો બનાવ અન્ય કોઇના દીકરા સાથે ના બને તેવી માંગ
ગઈકાલે નડીઆદ કોર્ટના ફરિયાદીના નિવેદન લેવાના હતા. જોકે ફરિયાદી હાજર ના થતા આજે નડીઆદ કોર્ટમાં કલાકો સુધી ભોગ બનનાર સગીર પાર્ષદ અને ફરિયાદીનું રૂબરૂ નિવેદન કલમ ૧૬૪ મુજબ લેવામાં આવ્યું હતું. જે બાદ ફરિયાદી અને તેમના વકીલ દ્વારા આવો બનાવ અન્ય કોઈના દીકરા સાથે ના બને અને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી. હાલ ચકલાસી પોલીસ દ્વારા પણ કોર્ટના નિવેદનો બાદ ફરિયાદીના નિવેદનો લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ મુખ્ય આરોપી સુવ્રત સ્વામી ફરિયાદ બાદ ભૂગર્ભમાં ઉતારી ગયા છે. સાથે નડીઆદ કોર્ટમાં આ મામલે આગોતરા જામીનની માંગણી કરી છે. જે અંગે નડીઆદ કોર્ટ દ્વારા અગામી ૨૩ નવેમ્બરના રોજ સુનાવણી રાખવામાં આવી છે. જ્યારે વડતાલ મંદિરના ચેરમેન અને કોઠારીને હાઇકોર્ટ દ્વારા ધરપકડના કરવા આદેશ કરવામાં આવતા રાહત મળી છે. પોસ્કો જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલ આ હાઇપ્રોફાઇલ આરોપીઓ સામે કડક પગલા ભરી તેમને મોટી સજા કરવામાં આવે તેવી માંગ ફરિયાદી દ્વારા કરવામ આવી છે.