ખેડાના અંકલાવ ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની હાજરીમાં બે નેતાઓ કોંગ્રેસમાં જોડાયા.
મહિસાગરના બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ શનાજી ઠાકોર અને વિરપુર તાલુકા ભાજપ પ્રમુખ સી.આર. ઝાલા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા. આ પ્રસંગે બાલાસિનોરના ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણ કારોબારી સમિતિ મહિસાગર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન પિનાકીન શુક્લ પણ હાજર રહ્યા હતા.
#Kheda માં બે નેતાઓ #Congress માં જોડાયા મહિસાગરના બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ શનાજી ઠાકોર કોંગ્રેસમાં જોડાયા વિરપુર તાલુકા ભાજપ પ્રમુખ સી.આર.ઝાલા પણ કોંગ્રેસમાં જોડાયા pic.twitter.com/AH9gDfUzca
મહિસાગરના બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ શનાજી ઠાકોર અને વિરપુર તાલુકા ભાજપ પ્રમુખ સી.આર. ઝાલાએ તાજેતરમાં ભાજપ સાથે છેડો ફાડ્યો હતો અને કોંગ્રેસમાં જોડાવાની વાત કરી હતી. ત્યારે ગઇકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા પૂર્વ કોંગ્રેસ ભરતસિંહ સોલંકીની હાજરીમાં વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાતા ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી ધીમે-ધીમે નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના પક્ષના ઉમેદવારને જીતાડવા માટે કમર કસી છે.
ત્યારે મહિસાગરના બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ શનાજી ઠાકોર થતાં વિરપુર તાલુકા ભાજપ પ્રમુખ સી.આર. ઝાલા કોંગ્રેસમાં જોડાતા ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હતું. ભાજપના આ બંન્ને નેતાને કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોંલકી સહિતના દિગ્ગજ નેતાઓએ ખેસ પહેરાવી આવકાર્યા હતા.