ખેડાના ઢૂંનાદરામાં પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી હતી. નવી નગરી પ્રાથમિક શાળામાં વાલીઓએ તાળાબંધી કરી હતી. વિવાદીત રીતે વિના કારણે શિક્ષકની બદલી કરાતા રોષ જોવા મળ્યો હતો. શિક્ષકની બદલી કરવામાં આવતા વાલીઓમાં DPO અને TPO વિરૂદ્ધ રોષ જોવા મળ્યો હતો. તંત્રને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતાં. અગાઉ શિક્ષકોને લઈ સરદાર પુરા પ્રાથમિક શાળામાં તાળાબંધી કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઢૂંનાદરા પ્રાથમિક શાળાના શિક્ષકની તાજેતરમાં વિના કારણે બદલી કરવામાં આવી હતી જો કે આ બદલીને લઇ ગ્રામજનો નારાજ હોવાથી તમામ વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારી અને અન્ય અધિકારીને રજૂઆત કરવા ગયેલ પરંતુ કોઇપણ પ્રકારના પગલા તંત્ર દ્વારા પગલા ના લેવાતા આજરોજ તાળાબંધી કરી હતી.