ડાકોર: આજે ફાગણી પૂનમ અને હોળીનો અનેરો તહેવાર હોવાથી ડાકોરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે. ગઈ મોડી રાતથી ભક્તો મંદિરમાં દર્શનાર્થે ઉમટ્યા છે. વહેલી સવારે પણ મંદિરમાં ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટ્યું.
ભક્તોમાં ઉમટેલા ભક્તોના જય રણછોડ અને માખણચોરના નાદથી મંદિર ગૂંજી ઉઠ્યુ. તો મંગળા આરતી બાદ ભગવાન કૃષ્ણને શણગાર પણ કરવામાં આવ્યો. ભગવાનને સોનાના અભૂષણોથી શણગાર કરવામાં આવ્યો.
ડાકોર મંદિરમાં ભક્તોનો ધસારો ,ફાગણી પૂનમમાં ડાકોરના ઠાકોરના દર્શનનો અનેરો મહિમા
વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું,જય રણછોડ, માખણચોરના નાદથી મંદિર ગૂંજી ઉઠ્યુ,મંગળા આરતી બાદ ભગવાનને કરાયો શણગાર.#Holi#Holi2K19#Dakorpic.twitter.com/BnZltQtkw0
એટલું જ નહીં ભગવાનને સોનાની પિચકારી પણ અર્પણ કરવામાં આવી. તો મંદિરના કપાટ ખૂલતાની સાથે જ મંદિરમાં ભક્તોનો ધસારો વધ્યો. સાડા આઠ વાગે ઠાકોરજીની શણગાર આરતીના દર્શન કરી શકાશે.
આપને જણાવી દઇએ કે, આજરોજ એક તરફ હોળીનો તહેવાર છે અને ખાસ કરીને પૂનમ પણ છે ત્યારે ડાકોર તીર્થધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે ના જયનાદથી સમગ્ર વાતાવરણમાં ભક્તિનો માહોલ છવાયો હતો.
આટલા વર્ષો પછી પણ પરંપરાના ભાગરૂપે ભક્તો પોતાના ભગવાન રણછોડરાય સાથે હોળી રમવા માટે દૂરદૂરથી આવે છે. ડાકોરમાં આજે ફાગણી પૂનમને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડાકોરના ઠાકોરના દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટયું છે.
રાજ્યમાંથી અને બહારથી પણ લોકો પગપાળા ચાલીને રણછોડરાયના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ડાકોરના રસ્તાઓ જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ગુંજી ઉઠયું છે. આજે ભગવાન સાથે ભક્તો ગુલાલ રમવાનો અનેરો આનંદ લેશે. સવારે મંગળાઆરતીમાં પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
શામળાજીમાં ભક્તોનો ધસારો
હોળીના તહેવારને લઇ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ફાગણ માસની પૂનમના દિવસે દર્શનનું અનેરું મહત્ત્વ હોય છે.શામળાજી મંદિરના પ્રાંગણમાં હોલિકા દહન કરાશે. ભગવાન શામળાજી સંગ કેસૂડાના રંગો સાથે હોળીનો તહેવાર મનાવાશે.