વડોદરા: વર્ષ 2008માં ખેડાના ઠાસરામાં ખોટી રીતે ભરતી કરવાના મામલે ઠાસરા તાલુકા પંચાયતના વિવાદિત આસિસ્ટન TDOને સેવા મુક્ત કરવામાં આવ્યા હતાં. ATDO રાજેન્દ્ર સોલંકીને સેવા મુક્ત કરવામાં આવ્યા છે. ભરતી અને યોજનાઓમાં કૌભાંડને લઇને સેવા મુક્ત કરાયા છે.
વર્ષ 2007માં કારકુન અને વિદ્યાસહાયકોની ખોટી રીતે ભરતી કરી હતી. ખોટા પ્રમાણપત્રોવાળા વિદ્યાસહાયકોની ભરતી કરી હતી. નિવૃત પંચાયત સચિવ એમ.પી.દવેએ કરેલી તપાસમાં દોષી સાબિત થયા હતાં. ગુજરાત પંચાયત સેવા નિયમ-6(4)મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 16 માર્ચ 2007 થી 16 જાન્યુઆરી 2008 સુધી ભરતીમાં કૌભાંડ થયું હતું. ATDO પેન્શન સહિતના સરકારી લાભ નહી લઇ શકે. ખોટી રીતે ભરતી કરાયેલા કારકુન અને વિદ્યાસહાયકો સામે પણ કાર્યવાહી થઇ શકે છે. સોલંકી કર્મચારીઓને ડાન્સ કરાવવાને લઇને પણ વિવાદમાં રહી ચુક્યા છે.