વેરાવળ રેલ્વે ફાટક પર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા ઓવરબ્રિજનું એક નહીં પરંતુ ત્રણ-ત્રણ વખત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. છેલ્લા 15 દિવસમાં ત્રણ વખત ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા છે.
વિધાનસભા ચૂંટણી અગાઉ વિકાસ કામોનો જશ લેવાના પ્રયાસો
મતદારો સમક્ષ વાહ વાહી લૂંટવા રાજકીય પક્ષોના નેતાઓ દોડતા થયા
એક જ બ્રિજનું ત્રણ વખત કરવામાં આવ્યું ખાતમુહૂર્ત
છેલ્લા 15 દિવસમાં ત્રીજી વખત યોજાયો ખાતમુહૂર્તનો કાર્યક્રમ
ગુજરાતમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. ગુજરાતમાં આ વખતે ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂહુર્ત કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પહેલા મતદારો સમક્ષ વાહ વાહી લૂંટવા રાજકીય પક્ષોના નેતાઓ દોડતા થયા છે. એવામાં ગીર સોમનાથમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. વેરાવળ રેલ્વે ફાટક પર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા ઓવરબ્રિજનું એક નહીં પરંતુ ત્રણ-ત્રણ વખત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. છેલ્લા 15 દિવસમાં ત્રણ વખત ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા છે.
એક નહીં ત્રણ-ત્રણ વખત ખાતમુહૂર્ત
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે વિધાનસભા ચૂંટણીમાં મતદારો સમક્ષ વાહ વાહી લૂંટવા રાજકીય પક્ષોના નેતાઓ દોડતા થયા છે. વિકાસના કામોનો જશ લેવા એક જ બ્રિજનું ત્રણ વખત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા વેરાવળ રેલ્વે ફાટક પર સરકારે ઓવરબ્રિજ મંજૂર કર્યો હતો. 32.16 કરોડ રૂપિયાના ખર્ચે બનાવામાં આવી રહેલો આ ઓવરબ્રિજ લોકો માટે આશીર્વાદ સમાન બનશે. સરકાર દ્વારા ઓવરબ્રિજ મંજૂર કરાયા બાદ છેલ્લા 15 દિવસમાં આ ઓવરબ્રિજનું ત્રણ વખત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
PM મોદી બાદ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કર્યું હતું લોકાર્પણ
સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઓવરબ્રિજનું ઈ-ખાતમુહૂર્ત કરાયું હતું. જે બાદ ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા ગઈકાલે આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા આ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં છે.
સળગતા સવાલો
નેતાઓને ચૂંટણીના સમય જ કેમ યાદ આવે છે મતદારો?
વિકાસના કામોનો જશ લેવા નેતાઓ કેમ તલપાપડ હોય છે?
સોમનાથમાં એક રેલવે બ્રિજનું 3 વખત ખાતમુહૂર્ત શા માટે?
PMએ કરેલા ઓવરબ્રિજના ખાતમુહૂર્ત બાદ ફરીથી ખાતમુહૂર્ત કેમ?
રાજ્યના નાગરિકો માટે આવા દેખાડાની શું જરૂર?
રાજ્યના નાગરિકોને કામ જોઈએ દેખાડો નહીં?