બનાસકાંઠા જિલ્લોએ સરહદી વિસ્તારને અડીને આવેલો જિલ્લો છે આ વિસ્તાર પહેલા સૂકો ભટ્ટ વિસ્તાર હતો પણ ખેડૂતોની મહેનત અને નર્મદાના પાણીના કારણે ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યા આજે ખેડૂતો ઓછા પાણીએ ખારેકની ખેતી કરી લાખો રૂપિયા કમાવતા થયા છે.
બનાસકાંઠા ઓછા પાણીએ મબલખ પાક
બાગાયત ખેતીમાં થયો વધારો, 200 હેક્ટર વિસ્તારમાં ખેતી
1. 56 લાખની સબસીડી અપાય છે
સયમની સાથે નવા નવા પરિવર્તનો આવતા હોય છે. આજથી થોડાક વર્ષો પહેલાંની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના પશ્વિમ વિસ્તારમાં વરસાદ આધારીત ખેતી હતી. વર્ષ-૨૦૦૮માં નર્મદાના નીર આવ્યા પછી આ વિસ્તારની કાયાપલટ થઇ હોય એમ કૃષિ, બાગાયત, પશુપાલન સહિત સંખ્યાવબંધ પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાાએ હવે રાજય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રી ય કક્ષાએ જવલંત સિધ્ધિળઓ પ્રાપ્તા કરી છ કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનથી ખેડુતો હવે ચીલાચાલું ખેત પધ્ધતિ છોડી આધુનિક પધ્ધતિ કરતા થયાં છે. વૈજ્ઞાનિકોના માર્ગદર્શન મુજબ ખેડુતોને એ વાત પણ સમજાઇ છે કે બાગાયતી ખેતી દ્વારા સારી આવક મેળવી શકાય છે.
રાજય સરકારના બાગાયત વિભાગની સહાયના સથવારે જિલ્લાના પશ્વિમ વિસ્તારમાં ઘણાં ખેડુતો બાગાયતી ખેતી તરફ વળ્યાં છે. જિલ્લામાં હાલ ૨૦૦ હેક્ટર વિસ્તારમાં ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતી થાય છે. ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતી કરવા માટે પ્રતિ હેકટરે ખેડુતોને રૂ. ૧,૫૬,૨૫૦ ની સબસીડી આપવામાં આવે છે. એક છોડે રૂ. ૧૨૫૦ની સબસીડી અપાય છે. આ જિલ્લાના ખેડુતો બાગાયતી ખેતી તરફ વળતાં જિલ્લાના બાગાયતી પાક વિસ્તારમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.
બનાસકાંઠાના ખેડૂતો ચીલા ચાલુ ખેતી છોડીને બાગાયત ખેતી તરફ વળ્યા છે ત્યારે ખેડૂતો દાડમની ખારેકની ખેતી કરીને લાખો રૂપિયા કમાતા થયા છે પાણીની અછતના કારણે ખેડૂતો હાલ આ ખેતી કરીને ઓછા પાણીમાં મબલખ ઉત્પાદન પણ કરી રહ્યા છે ત્યારે ખેડૂતો જણાવ્યું કે, અમે વર્ષોથી ચીલાચાલું ખેત પધ્ધતિથી ખેતી કરતાં હતાં. જેમાં ઉનાળા અને ચોમાસામાં બાજરી, જુવાર તથા શિયાળામાં રાયડો, એરંડા, ઘઉં, જીરૂ વગેરે પાકોની ખેતી કરતાં હતાં. તેમણે કહ્યું કે મને શરૂઆતથી નવું જાણવાનો શોખ છે એટલે મેં ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને ડીસા ખાતે આવેલ આત્માની ઓફિસનો સંપર્ક કર્યો.
આત્મા દ્વારા યોજાતા પ્રવાસમાં કચ્છમાં આવેલ મુંદ્રા ખારેક સંશોધન કેન્દ્રની ની મુલાકાત લઈ ત્યારબાદ વર્ષ-૨૦૧૩-૧૪માં ઇઝરાયેલી બરહી જાતિની ખારેકનું વાવેતર કર્યુ છે. રૂ. ૨૫૦૦ ના ભાવે ખારેકના છોડ લાવી વાવ્યા છે. જેમાં બાગાયત ખાતા દ્વારા સબસીડી પણ મળી છે. એક છોડ દીઠ રૂ. ૧૨૫૦ વત્તા મજુરી પેટે રૂ. ૨૫૦ એમ કુલ-૧૫૦૦ ની સબસીડી મળે છે.
ખારેકના પાકમાં ચાર વર્ષથી આવક આવવાનું શરૂ થાય છે. ખારેકના છોડને વાવ્યા પછી ૭૦ વર્ષ સુધી આવક આપે છે અને ૧૦૦ વર્ષનું આયુષ્યય ગણાય છે. ખારેકની ખેતી પર્યાવરણ જાળવવા પણ અનુકૂળ છે. આમાં કોઇ દવા આપવામાં આવતી નથી. એના થડમાં ફક્ત છાણીયું ખાતર અને પાણી જ આપવામાં આવે છે એટલે સંપૂર્ણ ઓર્ગેનિક પણ કહી શકાય. ખારેકના રોપાઓ વચ્ચેની જમીનમાં આંતરપાક તરીકે જીરૂનું વાવેતર કર્યુ હતું. જેમાંથી રૂ. ૪ લાખની આવક થઇ હતી. તેમણે કહ્યું કે ખારેકને વાવ્યા પછી ચાર વર્ષે આવક શરૂ થઇ જાય છે. અને દર વર્ષે લાખોની ખારેક વેચી રહયા છે
આ ખારેક બજારમાં હોલસેલના ભાવે રૂ. ૫૦ અને છૂટકમાં ૮૦ થી ૧૦૦ રૂપિયે કિ.લો. માં વેચાય છે. એક વાર ખારેક વાવ્યા પછી આ ખેતીથી બે પેઢી સુધી આવક મેળવી શકાય છે. આ ખેતી ખરેખર આ વિસ્તાર માટે અનુકૂળ અને સફળ છે તેમ ખેડૂતો જણાવી રહયા છે