ખંભાત.. હાલ હિંસાની ઘટના પછી ગુજરાતમાં સૌથી મોટો મુદ્દો બની ગયું છે. કારણ કે, જે ખંભાત એક વૈશ્વિક ઓળખ ધરાવતું હતું. આજે તે અસામાજિક પ્રવૃત્તિઓ માટે અને હિરજત માટે જાણીતું બનતું જઈ રહ્યું છે.
ખંભાતને લાગી વિધર્મીઓની નજર!
લોકો ખંભાતી તાળાં મારી કરી રહ્યા છે હિજરત!
કાયદો પણ છે.. પોલીસ પણ છે.. છતાં જેહાદી પ્રવૃત્તિ વધી રહી છે
ખંભાત એટલે કે, નવાબી નગર.. જેનો વર્ષો પહેલા વેપાર ક્ષેત્રે દબદબો હતો. કારણ કે, ખંભાતના બંદર પર જ વિદેશી વેપારીઓના જહાજો લાંગરાતા હતા. વિશ્વભરમાં અહીંથી વેપાર થતો હતો. પરંતુ આ નવાબી નગરને છેલ્લા 10 વર્ષોથી વિધર્મીઓની નજર લાગી છે. જેના કારણે ભાઈચારામાં માનતું ખંભાત.. હવે કોમી છમકલાં અને તોફાનો માટે દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વિધર્મીઓના કારણે અહીં લોકોનું જીવવું હરામ થઈ ગયું છે. હિન્દુ લોકો પોળો ખાલી કરીને અન્ય શહેરોમાં જવા લાગ્યા છે. હિન્દુ વિસ્તારોમાં ખંભાતી તાળાં લાગવા માંડ્યા છે. ત્યારે કોણ છે ખંભાતની બરબાદી માટે જવાબદાર?
રામનવમીના દિવસે જે રીતે કેટલાક વિધર્મીઓએ શોભાયાત્રામાં પથ્થરમારો કરીને હિંસા ભડકાવી હતી. તે દર્શાવે છે કે, જે ખંભાત વેપાર ક્ષેત્રે પોતાની ઓળખ ધરાવતું હતું. અકીકના વ્યવસાયને લઈને દુનિયામાં જેની નામના હતી. આજે તેની ઓળખ વિધર્મી તત્વોએ ખતમ કરી નાખી છે. સ્થિતિ એવી બની છે કે, વિધર્મીઓના ત્રાસના કારણે લોકો હવે હિજરત કરી રહ્યા છે.
ખંભાતની ઓળખ ધીરે ધીરે ભૂંસાતી ગઈ...
હિંદ મહાસાગરના કિનારે આવેલા ખંભાતની કુલ વસ્તી 1.20 લાખની છે. જેમાં 75 ટકા હિન્દુ અને 25 ટકા મુસ્લિમ સમાજની વસ્તી છે. ભાલ પ્રદેશના ગામડાઓનો વહેવાર પણ સીધો ખંભાત સાથે જ જોડાયેલો છે. કારણ કે, અહીં અકીક ઉદ્યોગ, મીઠાના અગરો અને માછીમારી સાથે ખેતી મુખ્ય વ્યવસાય છે. જોકે ખંભાતના બંદરમાં ધીમે ધીમે કાંપ જમા થઈ જતા દરિયાઈ વેપાર તો ખતમ થઈ ગયો છે. પરંતુ અન્ય જે ઓળખ હતી. તે પણ છેલ્લા 10 વર્ષમાં વિધર્મીઓના કારણે ભૂસાતી જઈ રહી છે.
હજારો લોકોએ ખંભાતની પોળોમાંથી હિજરત કરી
ખંભાતની બર્બાદીની સ્થિતિ પર નજર કરીએ તો ખંભાતમાં 100 જેટલી હિન્દુ પોળો આવેલી છે. પરંતુ આજના સમયમાં અહીં લેન્ડ જેહાદી પ્રવૃત્તિને લઈને લોકોને પોતાના પૈતૃક ઘર છોડવા પડી રહ્યા છે. હજારો લોકો ખંભાતની પોળોમાંથી હિજરત કરી ચૂક્યા છે.
હિન્દુઓની પોળોમાં લાગી રહ્યા છે ખંભાતી તાળા
જોકે સતત વધતી લેન્ડ જેહાદની પ્રવૃત્તિને લઈને 2020માં ખંભાતમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ કાયદાકીય છટકબારી અને ભ્રષ્ટાચારીઓના કારણે આજે પણ લેન્ડ જેહાદી પ્રવૃત્તિ ખંભાતમાં થઈ રહી છે. આ કારણે હિન્દુઓની પોળોમાં ખંભાતી તાળા આજે પણ લાગી રહ્યાં છે. હંમેશા લોકોથી ધમધમતી પોળોમાં હવે સન્નાટો જોવા મળે છે.
ખંભાતમાં કોઈ જીવના જોખમો ધંધો નથી કરવામાં માંગતુ
મહત્વનું છે કે, વિધર્મીઓના ત્રાસના કારણે અહીં ઉદ્યોગો પણ ખુબ ઓછા સ્થપાય છે. કારણ કે, કોઈપણ વ્યક્તિ જીવના જોખમે પોતાનો ધંધો આગળ વધારવા ન માગે. તેમાં પણ રામનવમીના દિવસે શોભાયાત્રામાં હિંસા ફેલાવાઈ અને એક વ્યક્તિનું મૃત્યું થયું. ત્યાર પછી અનેક લોકોએ ખંભાતમાંથી હિજરત કરી લીધી. કારણ કે, જેહાદીઓએ બહારથી લોકો બોલાવી હિંસા ફેલાવી અને પોલીસ પણ હિંસક તત્વોને રોકી ન શકી.
ખંભાતમાં ક્યા વિધર્મીઓ ભાઈચારાને ખતમ કરી રહ્યા છે?
અહીં સવાલ એ થાય છે કે, ખંભાતમાં ક્યા વિધર્મીઓ ભાઈચારાને ખતમ કરી રહ્યા છે? કેમ વારંવાર હિન્દુ લોકોને ટાર્ગેટ બનાવી હુમલા કરાય છે? શું અશાંત ધારો હોવા છતાં વિધર્મીઓનો ત્રાસ વધી રહ્યો છે? કેમ પોલીસ તંત્ર અહીં વિધર્મીઓ પર કાયદાની પકડ નથી બનાવી શક્તું? જેહાદી પ્રવૃત્તિ સાથેના લોકો પાકિસ્તાન સાથે કોન્ટેક્ટ સાધી લે ત્યાં સુધી કેમ સુરક્ષા એજન્સીઓને ભનક નથી લાગતી? સવાલો અનેક છે પરંતુ હાલ તો મહત્વનું છે, વિધર્મીઓના પગપેસારાને અને જેહાદી પ્રવૃત્તિઓને ડામી હિંદૂઓની થતી હિજરતને અટકાવવાનો. ત્યારે જોવાનું એ રહેશે કે, ગુજરાતની સરકાર આ દિશામાં કેવા કડક પગલા ઉઠાવે છે.