23 તારીખે ખંભાતમાં બે જૂથ સામ સામે આવી ગયા હતા. આ મામલે ભડકેલી હિંસના પડઘા ગાંધીનગર પહોંચ્યા છે જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા ઉપર ઠીકરા ફોડી ભર્યા તળાવમાંથી કોરા નીકળી જવાની વાત કરી રહ્યા છે. ત્યારે હવે આ મામલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને તાત્કાલિક અસરથી સ્થાનિક SP તથા DySPની બદલી કરી છે.
ખંભાતમાં હિંસા મામલે સરકાર એક્શનમાં
SP અને DySPની કરાઇ બદલી
CM રૂપાણીએ જનતાને શાંતિ રાખવાની કરી અપીલ
ઉલ્લેખનીય છે કે, ખંભાત હિંસા બાદ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ખંભાત ડિવિઝનના DySP રીમા મુનશીને હટાવામાં આવ્યાં છે. તેમના સ્થાને ભારતી પંડ્યાને મુકવામાં આવ્યાં છે. SP મકરંદ ચૌહાણને પણ હટાવવામાં આવ્યાં છે અને તેમના સાથે સ્થાને અજીત રાજ્યાણને મુકવામાં આવ્યાં છે.
ખંભાત મામલે CM રૂપાણીનું નિવેદન
કોઇપણ હિસાબે રાજ્યમાં નહીં ચલાવી લેવાય તોફાન. તોફાન કરનાર શખ્સો સામ થશે કડકમાં કડક કાર્યવાહી. આ દાવો કર્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ. ખંભાત હિંસા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોઇપણ હિસાબે આ પ્રકારના તોફાન ચલાવી લેવાય નહી. જો કોઇ તોફાન કરવાની કોશિશ કરશે તો તેની સામે પગલાં લેવાશે. આ સાથે સીએમ રૂપાણીએ ખંભાતવાસીઓને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે.
RAF દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ
આણંદના ખંભાતમાં અજંપા ભર્યો માહોલ છે..ત્યારે શહેરમાં RAF દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ. રાત્રીના સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને જેને લઈને RAFના જવાનો સતર્ક છે..તો સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસના જવાનો પણ તૈનાત છે. છેલ્લા 2 દિવસથી આણંદમાં અજંપાભરી શાંતિ છે. પોલીસ બંદોબસ્ત હોવા છતાં આજે કેટલાક અજાણ્યા શખ્સોએ આગચંપી કરીને માહોલ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.