નીતિન જાની એટલે કે ખજુર ભાઇ છેલ્લા થોડા સમયથી સેવાકાર્યો કરી રહ્યા છે અને લોકોની મદદ કરી રહ્યાં છે. હાલમાં જ તે બદ્રીનાથ દર્શને પહોંચ્યા હતા અને ભાવૂક થઇ ગયા હતા.
નીતિન જાનીએ બદ્રીનાથના કર્યા દર્શન
દર્શન કરીને બંને ભાઇ રડી પડ્યા
વીડિયો જોઇને તમે પણ ભાવૂક થઇ જશો
બદ્રીનાથમાં રાખ્યો ભંડારો
નીતિન જાનીએ જણાવ્યું કે ચાર ધામમાંથી એક એવા બદ્રીનાથમાં તેમણે 500 માણસનો ભંડારો રાખ્યો છે અને લોકોને ધાબળા વિતરણ કરવાનું પણ આયોજન કર્યુ છે. એક માન્યતા છે કે બદ્રીનાથમાં જ્યારે પણ ભંડારો થાય છે ત્યારે માતા લક્ષ્મી સ્વયં આવીને રસોઇ બનાવે છે અને ભગવાન વિષ્ણુ જમવાનું પીરસે છે. ભંડારો કરવા પરમિશન લેવી પડે છે.
બદ્રીનાથ વિશે આપી માહીતી
નિતીન જાનીએ બદ્રીનાથ મંદિર વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે સરસ્વતિ, અલકનંદા અને ગંગાની બાજુમાં આ પુણ્યભૂમિ આવેલી છે.
મહિલા રડી પડી
ખજૂર સાથે આવેલ એક મહિલાએ કહ્યું કે, મને બદ્રીનાથ પર અતૂટ વિશ્વાસ છે અને મારી દીકરી જ્યારે તકલીફમાં હતી ત્યારે ચાર પાનાની ચિઠ્ઠી લઇને હું અહી આવી હતી. જ્યારથી મહારાજે આ ચિઠ્ઠી વાંચી છે ત્યારની મારી દીકરીને કોઇ તકલીફ પડી નથી.
બંને ભાઇ રડી પડ્યા
નિતીન જાની અને તેનો ભાઇ તરુણ જાની બંને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. તેમના પિતા દર વર્ષે જગન્નાથ પુરીની યાત્રાએ જતા હતા. એક પણ વર્ષ તેવું બાકી નથી કે તે જગન્નાથ પુરી ન ગયા હોય. અહીંથી કળશ લઇને જગન્નાથ પુરી ચડાવાય નહી ત્યાં સુધી માનતા પુરી થાય નહી. તેવું માનવામાં આવે છે. બદ્રીનાથ આવીને નિતીનને પિતાની ખુબ યાદ આવી અને તેમને યાદ કરી બંને ભાઇ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા.
બદ્રીનાથ નામ કેવી રીતે પડ્યું
આ જગ્યા જ્યાં ભગવાન વિષ્ણુનુ મંદિર છે તેની આસપાસ બેરી નામના જંગલી ઝાડ હતા બેરીને બદ્રી પણ કહેવાય છે ત્યારથી આ જગ્યાનું નામ બદ્રીનાથ પડી ગયુ છે. એક અન્ય માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ તપસ્યા કરી રહ્યાં હતા અને અચાનક હીમપાત થવા લાગ્યો. હીમપાતના કારણે લક્ષ્મીમાતા વ્યાકુળ થઇ ગયા હતા, ભગવાન વિષ્ણુ ની તપસ્યા ભંગ ન થાય તેના કારણે લક્ષ્મીજીએ બેરી નામના વૃક્ષનું રૂપ ધારણ કર્યું અને ભગવાનની આજુબાજુ ગોઠવાઇ ગયા હતા. ભગવાન જ્યારે તપસ્યામાંથી ઉઠ્યા ત્યારે કહ્યું કે મારા જેવી તપસ્યા તમે પણ કરી છે. માટે આ જગ્યાનું નામ બદ્રીનાથ પાડીએ.