સૌરાષ્ટ્રમાં તૌક્તે વાવાઝોડાના કારણે ઘર ગુમાવનાર લોકોની મદદ કરે છે નીતિન જાની એટલે કે ખજૂરભાઈ
નીતિન જાની સૌરાષ્ટ્રમાં લોકોની કરે છે મદદ
નીતિન જાનીની જનસેવા
પતરા લગાવતી વખતે માંડ માંડ બચ્યા
ગુજરાતના અમરેલીના રાજુલામાં એક વૃદ્ધાનું ઘર તૌક્તે વાવાઝોડામાં પડી ગયું હતું. તેમની મદદે ગુજરાતના સોનૂ સુદ તરીકે જાણીતા ખજૂરભાઈ એટલે કે નીતિન જાની આવ્યા છે. રાજુલા અને તેની આજુબાજુમાં વિસ્તારમાં નીતિન જાનીએ ઘણા લોકોને મદદ કરી છે. તૌક્તે વાવાઝોડા વખતે ઘણા લોકોના ઘરના નળીયા ઉડી ગયા હતા, તો ઘણા લોકોના ઘરની દિવાલો પણ પડી ગઈ હતી.
1 દિવસમાં બનાવી આપ્યું વૃદ્ધાનું ઘર
આર્થિક તંગીના કારણે કે અથવા તો અમુક કારણોસર લોકો તેવા જ ઘરમાં રહેવા મજબૂર છે. તેમની મદદ માટે ખજૂરભાઈ ખૂબ મહેનત કરી રહ્યા છે. એવામાં નીતિન જાનીએ રાજુલામાં એક નિરાધાર વૃદ્ધાનું ઘર 1 જ દિવસમાં બનાવી આપ્યું છે.
ખડખડાટ હસવા લાગ્યા લોકો
આ ઘર બનાવતી વખતે ખજૂર પોતે જ નળીયા લગાવવા માટે ઉપર ચઢી ગયા અને અચાનક ત્યાંથી પતરૂ તૂટી જવાના કારણે તે માંડ માંડ બચ્યા હતા. આ વિશે જણાવતા તેમણે કહ્યું કે તેમને ભગવાને બચાવી લીધો છે અને તે બાલ બાલ બચ્યા છે. આટલું કહી તે નીચે ઉતરી ગયા. ત્યારે ત્યાં ઉભેલા લોકો ખડખડાટ હસી પડ્યા હતા. ત્યારે ખજૂર ભાઈએ પણ મજાકીયા અંદાજમાં કહ્યું કે ભાઈ આમા પણ દાંત કાઠો છો.
તમને જણાવી દઈએ કે આ પહેલા એક આવી જ જન સેવા વખતે તેમની કમરમાં ઈજા પહોંચી હતી.