KGF 2નાં અભિનેતા મોહન જુનેજાનું આજે જ બીમારીને કારણે નિધન થયું છે.
KGF 2નાં અભિનેતા મોહન જુનેજાનું નિધન
લાંબા સમયથી બીમાર હતા એક્ટર
100થી વધારે ફિલ્મો કરી ચુક્યા છે
KGF 2નાં અભિનેતા મોહન જુનેજાનું નિધન
KGF 2 ફેમ મોહન જુનેજાનું 7 મે 2022ની સવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા એ ઈલાજ દરમિયાન તેમણે અંતિમ શ્વાસો લીધા. એક્ટરે બેંગ્લોરના એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસો લીધા. લોકોને પોતાની કોમેડીથી હસાવનાર મોહન આજે સૌની આંખોમાં પાણી લાવી ગયા. આજે જ તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે.
It's truly shocking to know that our beloved Monster uncle Mohan Juneja sir is no more💔
મોહન જુનેજાએ કોમેડિયન તરીકે કરિયરની શરૂઆત કરી હતી. કેજીએફમાં પત્રકાર આનંદની ઈનફોર્મરની ભૂમિકા ભજવી હતી. તેમણે પહેલા તમિલ, તેલુગૂ, મલયાલમ અને હિન્દી ભાષાની પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની કરિયરમાં 100થી વધારે ફિલ્મો કરી છે. તેઓ કેજીએફ ચેપ્ટર 1 અને ચેપ્ટર 2માં પણ જોવા મળ્યા હતા. એક્ટર અને કોમેડિયનને ફિલ્મ 'ચેતલા'થી મોટો બ્રેક મળ્યો હતો. આ ફિલ્મમાં તેમની ભૂમિકા દર્શકોના દિલમાં ઘર કરી ચુકી હતી, જેને તેઓ ભૂલાવી નહીં શકે.
આવી રહી છે મોહન જુનેજાની ફિલ્મી સફર
મોહનનાં ગયા બાદ તેમના ફેન્સ અને ફિલ્મ ઈંડસ્ટ્રી સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ જતાવી રહ્યા છે. આ એક્ટર બાળપણથી જ એક્ટિંગમાં રૂચી ધરાવતા હતા. તેમણે કોલેજ કાળમાં જ નાટકોમાં ભાગ લેવાનું શરુ કર્યું હતું. 2008માં આવેલી ફિલ્મ 'સંગમા'થી તેમણે કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તામિલ ફિલ્મ 'ટેક્સી નંબર'માં તેમણે કામ કર્યું હતું. 2010માં મોહને કન્નડ ભાષાનાં નાટક 'નારદ વિજયા'માં પણ કમાલ કરી બતાવી. 2018માં હોરર ફિલ્મ 'નિગૂડા' માં પણ અભિનય કર્યો. આ પણ કન્નડ ભાષામાં જ હતી. તેઓ એક કોમેડી એક્ટર તરીકે પણ ઓળખાતા હતા.