શું કહ્યું કેયાએ?
શામળીજીના દર્શન કરીને કેયાએ કહ્યું કે, હું નાનપણથી જ ભગવાન શામળાજીની ભક્ત છું. હું આજે અહીં આવી પવિત્ર અને ધન્ય અનુભુવુ છું, ભગવાન કોરોનાની મહામારીમાંથી જલ્દી બધાને ઉગારે તેવી પ્રાર્થના કરું છું.
પોલીસ સ્ટેશનમાં ઉજવી રક્ષાબંધન
કેયા વાજાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. જેમાં પોલીસ અને મીડિયા કર્મચારીઓએ કોરોના મહામારીમાં મહત્વનું યોગ્યદાન આપ્યું હતું માટે તેમની લાંબી ઉંમર માટે રાખડી બાંધીને પ્રાર્થના કરી હતી.