ભાજપે અશ્વિન કોટવાલ બાદ સ્વ. અનિલ જોષીયારાના દીકરા કેવલ જોષીયારાને ભાજપમાં ભેળવી આદિવાસી પટ્ટો મજબૂત કર્યો
કેવલ જોષીયારા આવતીકાલે ભાજપમાં જોડાશે
સી.આર.પાટીલ ભાજપમાં કરશે સ્વાગત
1500 કાર્યકરો પણ ભાજપમાં જોડાશે
ગુજરાતમાં ચૂંટણી પૂર્વે ભાજપ આદિવાસી પટ્ટામાં ગાબડુ પાડવામાં સફળ રહી છે. સ્વર્ગસ્થ અનિલ જોષીયારાની ભિલોડા બેઠક પર ભાજપની નજર છે. આ બેઠક મેળવવા ભાજપ અનિલ જોષીયારાના દીકરા કેવલ જોષીયારા ભાજપમાં સામેલો કરવા જઈ રહી છે.ભીલોડા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અને અનિલ જોષીયારા ભિલોડાથી સતત 5 ટર્મથી જીતતા આવ્યા હતા.જોકે હવે તેમના નિધન બાદ આ બેઠક પોતાના ખાતામાં લાવવા માટે ભાજપ તેજ પ્રયાસો કરી રહ્યું છે.
કેવલ જોષીયારા કોંગ્રેસના 1500 કાર્યકર્તા સાથે કેસરીયો કરશે
આવતીકાલે કેવલ જોષીયારા ભાજપમાં જોડાશે. અરવલ્લીના ભિલોડા ખાતે સી.આર.પાટીલ જોષીયારાનું ભાજપમાં સ્વાગત કરશે. કેવલ જોષીયારા સાથે કોંગ્રેસના પૂર્વ પંચાયત હોદ્દેદારો સહિત 1500 કાર્યકરો પણ કેસરિયો ધારણ કરવાના છે. ભાજપમાં જોડવાનો આ કાર્યક્રમ ભિલોડાની આર.જી.બારોટ કૉલેજના કેમ્પસમાં રાખવામાં આવ્યો છે. ભાજપે આ કાર્યક્રમ માટે ભિલોડાની આર.જી.બારોટ કૉલેજ કેમ્પસ ખાતે તૈયારી પૂર્ણ કરી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે આદિવાસી વિસ્તારની બેઠકો કબજે કરવા કવાયત શરૂ કરી છે.
ભાજપની નજર ભીલોડા ઉપર કેમ?
ભીલોડા અરવલ્લીની અને આદિવાસી પૂર્વ પટ્ટાની મહત્વની બેઠક
અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠક હાલ કોંગ્રેસ પાસે છે
આદિવાસી પૂર્વ પટ્ટીમાં અરવલ્લી જિલ્લો મહત્વનો
ભીલોડાને અડીને આવેલી ખેડબ્રહ્મા બેઠક પણ કોંગ્રેસ પાસે છે
ભીલોડા બેઠક ઉપર દિવંગત નેતા અનિલ જોષીયારાનો દબદબો રહ્યો છે
જોષીયારાના દીકરા ભાજપમાં આવે તો પક્ષને ફાયદો થાય
અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ફાયદો થઈ શકે
ચૂંટણી પહેલા જોષીયારાના પરિવારને ભાજપ પક્ષમાં લાવવા માંગે છે
આદિવાસી પટ્ટીમાં હાલ કોંગ્રેસ મજબૂત છે
સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદમાં કોંગ્રેસનું સંખ્યાબળ વધુ છે
મધ્ય ગુજરાતની આદિવાસી પટ્ટીમાં પણ કોંગ્રેસ મજબૂત છે
ઉત્તર ગુજરાતમાં પક્ષને મજબૂત કરવાના પ્રયાસો
મહત્વનું છે કે ભાજપ આ વખતની ચૂંટણીમાં આદિવાસી બેઠકો પર કબ્જો જમાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે. પહેલા કોંગ્રેસના ખેડાબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા અને હવે કેવલ જોશીયારા ભાજપમાં જોડાશે.ભિલોડામાં જ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં તેઓ કેસરિયો કરશે. લાગી રહ્યુ છે કે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ધાર્યુ પરિણામ લાવવામાં નિષ્ફળ રહ્યુ છે આથી ઉત્તર ગુજરાતમાં પક્ષને મજબૂત કરવા માટે કોંગ્રેસના નારાજ નેતાઓને પક્ષમાં સામેલ કરવામાં ભાજપના પ્રયાસો સફળ થઇ રહ્યા છે.
આદિવાસી વોટબેંક સાચવવા કોંગ્રેસની નવી રણનીતિ
કોંગ્રેસ ખેડબ્રહ્મામાં કરશે મહાસંમેલન
આદિવાસી વિસ્તારની વોટબેંક સાચવવાની રણનીતિ
અશ્વિન કોટવાલ અને કેવલ જોશિયારાના ભાજપ પ્રવેશ બાદની રણનીતિ
આગામી 1લી જૂનના રોજ કોંગ્રેસનું ખેડબ્રહ્મામાં મહાસંમેલન