ભાજપ આદિવાસી બેઠકો કબ્જો કરવા પ્રયાસ. સી.આર પાટીલની હાજરીમાં વધુ એક નેતા કરશે કેસરિયો
કેવલ જોશીયારા જોડાશે ભાજપ
24મેના રોજ ભિલોડામાં કરશે કેસરિયા
સી.આર પાટીલની અધ્યક્ષતામાં જોડાશે ભાજપમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. જો કે ચૂંટણી તો સમયસર જ યોજાશે તેમ લાગી રહ્યું છે. પરંતુ રાજકીય પાર્ટીઓમાં અત્યારથી જ ચૂંટણીને લઇને ધમધમાટ જોવા મળી રહ્યો છે. જેમ જેમ દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ નારાજ નેતાઓનો પક્ષપલટાનો દોર શરુ થયો છે. ત્યારે કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાશે.
કેવલ જોશીયારા જોડાશે ભાજપમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે કમર કસી છે. તેમાં પણ ખાસ કરીને આદિવાસી વૉટ બેંક પર ભાજપ ખાસ ધ્યાન આપી રહી છે. ત્યારે આદિવાસી વિસ્તારમાં ભાજપનું વધુ એક ઓપરેશન સફળ થવા જઇ રહ્યું છે. કારણ કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પુત્ર કેસરિયો ધારણ કરશે. સ્વર્ગસ્થ અને પૂર્વ ધારાસભ્ય અનિલ જોશીયારાના પુત્ર કેવલ જોશિયારા ભાજપમાં જોડાશે. 24મેના રોજ ભિલોડોમાં સભા કરીને તેઓ વિધિવત ભાજપમાં જોડાશે.મહત્વનું છે કે અનિલ જોશીયારા કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના સંક્રમિત થયા હતા. લાંબી સારવાર બાદ તેમનું નિધન થયું હતું.
ઉત્તર ગુજરાતમાં પક્ષને મજબૂત કરવાના પ્રયાસો
મહત્વનું છે કે ભાજપ આ વખતની ચૂંટણીમાં આદિવાસી બેઠકો પર કબ્જો જમાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે. પહેલા કોંગ્રેસના ખેડાબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા અને હવે કેવલ જોશીયારા ભાજપમાં જોડાશે.
ભિલોડામાં જ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં તેઓ કેસરિયો કરશે. લાગી રહ્યુ છે કે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ધાર્યુ પરિણામ લાવવામાં નિષ્ફળ રહ્યુ છે આથી ઉત્તર ગુજરાતમાં પક્ષને મજબૂત કરવા માટે કોંગ્રેસના નારાજ નેતાઓને પક્ષમાં સામેલ કરવામાં ભાજપના પ્રયાસો સફળ થઇ રહ્યા છે.