સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરતાં હોય તો જોવાલાયક સ્થળ, 300ની ટીકીટમાં ચા-કોફી- નાસ્તો એન કેસૂડાંનું જ્યુસ
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કેસૂડાં ટૂરનો પ્રારંભ
65 હજારથી વધુ કેસૂડાંના ઝાડની સફર
વિંધ્યાચલ પર્વતમાળામાં અમુલ્ય વારસો
કેવડિયા. એટલે કે, પ્રકૃતિની વચ્ચે વિકસેલું એક એવું પર્યટક સ્થળ.. જે દેશ અને દુનિયાના લોકોનું પસંદીદા સ્થળ બની ગયું છે.. પરંતુ હવે અહીં સફારી પાર્ક અને સ્ટેચ્યૂ ઓફ યુનીટિની જેમ કેસૂડા ઉત્સવ પર્યટકોને આકર્ષી રહ્યો છે.. જેને જોતા એકતાનગરમાં કેસૂડા ટૂર શરૂ કરાઈ છે. વસંતના વધામણાં કરતા કેસૂડાના વૃક્ષો ફુલોથી છલકાઈ ગયા છે.. જે પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ ઊભું થયું છે. ક્યારે કેવી રીતે કેવડિયામાં પ્રવાસીઓ કેસૂડા ઉત્સવની માણી રહ્યા છે.
કેસૂડાંનું વન ખીલ્યું
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા નગરમાં હોળી પર્વે વસંતના વધામણાં કરવા પલાસ ઉત્સવ શરૂ કરવામાં આવ્યો છે. SOUના પ્રવાસે આવતા પ્રવાસીઓ કેસૂડાંનું મહત્વ જાણે એ હેતુસર કેસૂડાં ટૂરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વીંધ્યાચલ ગિરિમાળા વિસ્તારમાં આવેલી છે. ચોમાસાની ઋતુમાં જેમ આખો વિસ્તાર લીલીછમ ચાદર ઓઢીલે છે. આમ ઉનાળાની પાનખર સાથે વસંત ઋતુના વધામણાં કરવા કેસૂડાં ખીલી ઉઠતા હોય છે.
300ની ટીકીટમાં ચા-કોફી- નાસ્તો, કેસૂડાંનું જ્યુસ
આ વિસ્તારમાં 65 હજાર કરતા પણ વધુ કેસૂડાંના ઝાડ આવેલા છે. હાલ એકદમ ચારે કોર કેસૂડાં જ કેસૂડાં દેખાય છે. આ કેસૂડાંવનને પ્રવાસીઓ નજીકથી માણે અને તેના ફૂલને જાણે કેસૂડાંના પુષ્પના જ્યુસ પ્રવાસીઓ પીને જંગલ વિસ્તારમાં 3 કલાક કાઢે છે અને મોઝ મસ્તી કરે એવા સુંદર આયોજન સાથે કેસૂડાં ટૂરનું આયોજન SOU સત્તા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રથમ ત્રણ દિવસમાં 100 જેટલા પ્રવાસીઓએ આ કેસૂડાં ટૂરની મઝા માણી છે. અને આગળના સમયમાં બુકિંગ માટે ઇન્ક્વાયરીઓ શરૂ થઈ ગઈ છે. આ નવો કેસૂડાં પ્રોજેક્ટ માટે સવારે 7 થી 10 અને સાંજે 4 થી 7 બે સ્લોટમાં પ્રવાસીઓ ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે. રૂપિયા 300 એક વ્યક્તિની ટીકીટ રખાઇ છે. જેમાં ચા-કોફી- નાસ્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અલગ-અલગ ત્રણ રૂટ તૈયાર
સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસધામ બન્યુ છે અત્યાર સુધી દેશ-વિદેશના 78 લાખ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે. એકતાનગર વિસ્તાર કેસૂડાંના લગભગ 65 હજાર વૃક્ષથી સમૃધ્ધ છે અને વસંતઋતુમાં સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠે છે, આ માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેસૂડાં ટુર માટે અલગ-અલગ ત્રણ રૂટ તૈયાર કરવામાં આવ્યાં છે. અને પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઇને કેસૂડાં સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમુલ્ય વન્ય વારસાને માણી શકશે.
3-4 કિમી સુધી ટ્રેક પણ
પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે, જે પલાશનાં ગાઢ જંગલો ધરાવે છે. તેઓ પરાગરજની ચમત્કારિક દુનિયા અને કેસૂડાંના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા-જોતા ખીણો અને કોતરો સાથે લગભગ 3-4 કિમી સુધી ટ્રેક કરશે. ટ્રેકીંગ પછી પ્રવાસીઓને ખલવાણી ઇકોર્ટુરિઝમ સાઇટની મુલાકાત કરાવવામાં આવશે. જયાં તમામ પ્રવાસીઓને કેસૂડાંની ચા આપવામાં આવે છે.