નર્મદાના કેવડિયા સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી જોડાયેલ એક ગોટાળો સામે આવ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકિટના વેચાણથી જમા કરવામાં આવેલ રૂપિયાના દુરૂપયોગને લઇને ગોટાળો સામે આવ્યો છે. HDFC બેંકની વડોદરા શાખાના મેનેજર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, ઓક્ટોબર 2018 અને માર્ચ 2020 વચ્ચેના સમય દરમિયાન કથિત રીતે 5.24 કરોડ રૂપિયા બેંકથી ગાયબ થઇ ગયા છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકિટના 5 કરોડ રૂપિયાનો ગોટાળો
એજન્સીએ બેંકમાં જમા નથી કરાવ્યા રૂપિયા
DFC બેંકની વડોદરા શાખાના મેનેજર દ્વારા દાખલ ફરિયાદ કરાઇ
HDFC બેંકના મેનેજર દ્વારા ફરિયાદ કરાયા બાદ કેવડિયા પોલીસ સ્ટેશને FIR દાખલ કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નાણાકીય લેવડ દેવડની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે કુલપતિ વાણી દૂધતને જાણકારી આપી છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નામથી એક બેંકમાં 2 ખાતા છે. બેંકને ડોરસ્ટેપ કેશ કલેક્શનની સુવિધા આપવા માટે રાઇટર બિઝનેસ નામની કંપનીની સેવાઓ લેવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, એજન્સીના કર્મચારીઓએ નવેમ્બર 2018થી માર્ચ 2020 વચ્ચે બેંકમાં અંદાજિત 5,24,77,375 રૂપિયાની રકમ જમા જ નથી કરી.
એક એજન્સીની પાસે કોવિડ 19 લૉકડાઉન પહેલા પર્યટક સ્થળની અલગ અલગ પરિયોજનાઓમાં પ્રવેશ માટે ઑફલાઇન ટિકિટ કાઉન્ટર હતા, સાથે જ નિયમિત પાર્કિંગ ચાર્જ પણ હતો. સ્ટેચ્યૂ ઑફ યુનિટીના એક અધિકારીએ જણાવ્યું કે, HDFC બેંક, સ્ટેચ્યૂ ઑફ યુનિટી તંત્ર દ્વારા રોજ અલગ અલગ ઑફલાઇન ટિકિટ કાઉન્ટર અને પાર્કિંગ શુલ્ક દ્વારા એકત્ર કરવામાં આવી રહેલ કેશ માટે સેવા ઉપલબ્ધ કરી રહ્યા છે, અને આ પોતાની વડોદરા શાખામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી બેંક ખાતામાં જમા કરાવી રહ્યા છે.
અધિકારીએ જણાવ્યું કે, મળતી રકમની રસીદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવે છે અને આને સમય સમય પર બેંક ખાતામાં કરવામાં આવેલી રકમ જમવા રકમ એન્ટ્રી સાથે મેળવી દેવામાં આવે છે, કોવિડ 19 પ્રતિબંધોમાં ઢીલ બાદ HDFCની સાથે કરવામાં આવેલા સમાધાન દરમિયાન, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ઑડિટર્સે નોટિસ કર્યું કે, બેંક તરફતી રાઇટર બિઝનેસના અધિકારીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ રસીદો ખાતામાં વાસ્તવિક એન્ટ્રીઓ સાથે મેળ નથી ખાતી.
પોલીસે એજન્સીના કેટલાક કર્મચારીઓ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. જોકે, હજુ સુધી કોઇની ધરપકડ નથી કરવામાં આવી.વાણી દૂધતે જણાવ્યું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અધિકારીઓ જ્યારે ઑડિટ કરાવતા તો જમા પહોંચમાં મળેલ રકમ અને ખાતામાં જમા રકમમાં તફાવત મળી આવ્યો. આના સંબંધમાં તાત્કાલિક બેંકને માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ જ્યારે બેંક તરફથી તપાસ કરવામાં આવી તો જાણ થઇ કે સંબંધિત એજન્સીએ રકમ જમા જ નથી કરાવી.