નર્મદા જિલ્લામાં હાલ યુધ્ધના ધોરણે ઈકો ફ્રેન્ડલી 'એકતા નગર' બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ અંગે સરકારી જાહેરાત તો થઈ ગઈ છે પણ હજુ સુધી મહેસુલી દરજ્જો આપવાનો બાકી છે. 1345 જેટલા પાવર જનરેટર કરી ક્લીન ઇકો ટુરિઝમનો કોન્સેપટ વિકસાવાઈ રહ્યો છે.
'એકતા નગરી' સોલાર પાવરથી ચાલશે
હાલમાં 1345 કિલો વોટનો સોલાર પ્લાન્ટ છે
સરકાર આ દ્વારા 'સેવ એનર્જી', 'ક્લીન એનર્જી', અને 'ગ્રીન કોન્સેપટ' વિકસાવાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ નિમિત્તે અને નમામી દેવી નર્મદે ઉત્સવ અંતર્ગત ગુજરાત કેવડિયા આવ્યા હતા અને ત્યારે તેમણે બટરફ્લાય ગાર્ડન, કેકટ્સ ગાર્ડન, વગેરે જગ્યાઓની મુલાકત લીધી હતી. કેવડિયા કોલોનીને વડાપ્રધાન આંતરાષ્ટ્રીય સ્તરનું પ્રવાસન સ્થળ બનાવવા કટીબધ્ધ થયા છે.
કેવડિયા કોલોનીને ઈન્ટરનેશનલ લેવલનું ટુરીઝમ પ્લેસ બનાવવાના સરકારના પ્રયાસો હાલમાં બર આવ્યા છે. એકતા નગરીમાં આંતરાષ્ટ્રીય કક્ષાની એક્ટીવીટીઝ અને પાર્ક બનાવાઈ રહ્યા છે અને આ તમામને સૌર ઉર્જાથી ચલાવવાની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
'એકતા નગરી' સોલાર પાવરથી ચાલશે
આ એકતા નગરીના મોટાભાગના પ્રોજેક્ટો સોલાર સિસ્ટમ થી ચલાવવા માં આવશે. એટલે કે પ્રોજેક્ટો ના વિસ્તાર ને વપરાશ મુજબ વીજળી મળી રહે એ રીતે સોલાર પેનલો લગાવવા મા આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધ ની આજુબાજુમાં આવેલ મોટાભાગના પ્રોજેક્ટોમાં સોલાર ઉર્જાનો કોન્સેપટ રાખવામાં આવ્યો છે. સરકાર આ દ્વારા 'સેવ એનર્જી', 'ક્લીન એનર્જી', અને 'ગ્રીન કોન્સેપટ' ને પ્રમોટ કરી રહી છે.
કયા કયા પ્રોજેક્ટ વિકસાવાઈ રહ્યા છે
ચિલ્ડ્રન ગાર્ડન, જંગલ સફારી, રિવર રાફટિંગ, રેવાભવન, કેકટ્સ ગાર્ડન, સર્ખિટ હાઉસ, બટરફ્લાય ગાર્ડન વગેરે ઈન્ટરનેશનલ કક્ષાના પ્રોજેક્ટ કેવડિયા કોલોનીમાં વિકસાવવામાં આવી રહ્યા છે.
હાલમાં 1345 કિલો વોટનો સોલાર પ્લાન્ટ છે
સોલાર પ્લાન્ટ 1345 કિલો વોટનો છે. અને યુદ્ધ ના ધોરણે કામગીરી ચાલુ છે. સ્ટેચ્યુ ની આજુબાજુમાં જે પ્રોજેક્ટો બની રહ્યા છે તે તમામને ઈકો ટુરિઝમ પોઈન્ટ તરીકે વિકસાવાઈ રહ્યા છે. આ સ્થળ ને ગ્રીન સ્પોર્ટ નામ આપવામાં આવશે.
ક્યાં લગાડવામાં આવી છે સોલાર પેનલ અને કેટલી મેગા વોટ જોઈશે વીજળી